SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ ૧૪૯ પૂંજીને, પોતાના પૂર્વના સાથી દેવનું મનમાં ધ્યાન કરીને, અઠ્ઠમ કરીને બેસી ગયો. દેવ આવ્યો. રાજાએ પહેલાના સાથી દેવને કહ્યું-હે ભારતવર્ષમાં, હસ્તિનાપુર નગરમાં યાવત્ દ્રૌપદીદેવી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે દ્રૌપદીદેવી ને અહીં લઈ આવો.’ ત્યાર પછી પૂર્વસંગતિ દેવે પદ્મનાભને કહ્યું-દેવાનુપ્રિય ! તે કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે દ્રૌપદીદેવી પાંચ પાંડવોને છોડીને બીજા પુરુષની સાથે ઉદાર કામ ભોગને ભોગવશે. તો પણ હું તમારું પ્રિય કરવાને માટે દ્રૌપદી દેવીને હમણાં અહીં લાવી આપું છું.' એ પ્રમાણે કહીને તે ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રની મધ્યમાં થઇને જ્યાં હસ્તિનાપુર નગર હતું તે તરફ ગમન કરવાને માટે ઉઘત થયો. તે કાળ અને તે સમયમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવીની સાથે મહેલની છત પર સુખે સૂતા હતા. ત્યારે તે પૂર્વસંગતિક દેવ જ્યાં રાજા યુધિષ્ઠિર હતા અને જ્યાં દ્રૌપદી દૈવી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે દ્રૌપદી દેવીને અવસ્યાપિની નિદ્રા આપી. પછી દ્રૌપદી દેવીને ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી અમ૨કંકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં આવી અસોક વાટિકામાં દ્રૌપદી દેવીને રાખી દીધી. રાખીને અવસ્વાપિની નિદ્રાનું સંહરણ કર્યું. સંહરણ કરીને જ્યાં પદ્મનાભ રાજા હતો, ત્યાં આવ્યો. આવીને આ પ્રમાણે બોલ્યોદેવાનુપ્રિય ! હું હસ્તિનાપુરથી દ્રૌપદી દેવીને શીવ્રતાપૂર્વક અહીં લઈ આવ્યો છું. તે તમારી અશોક વાટિકામાં છે. તેથી આગળ તમે જાણો ! ત્યાર પછી થોડીવારે દ્રૌપદી દેવીની નિંદ્રા ભંગ થઇ. તેણી તે અશોક વાટિકાને ઓળખી ન શકી તેથી તે મનોમન કહેવા લાગી કે આ ભવન મારું નથી, આ અશોક વાટિકા મારી પોતાની નથી. કોણ જાણે કોઇ દેવે, દાનવે, કિંપુરુષે, કિંનરે, મહોરગે યા ગંધર્વે કોઇ બીજા રાજાની અશોકવાટિકામાં મારું સંહરણ કર્યું છે. આ પ્રમાણે વિચારતી તે ભગ્નમનોરથવાળી થઈને યાવત્ ચિંતા ક૨વા લાગી. ત્યાર પછી રાજા પદ્મનાભ સ્નાન કરીને યાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઇને, જ્યાં અશોક વાટિકા હતી, જ્યાં દ્રોપદી દેવી હતી, ત્યાં આવ્યો. આવીને તેણે દ્રૌપદી દેવીને ભગ્ન મનોરથ તેમજ ચિંતા કરતી જોઈને કહ્યું-દેવાનુપ્રિયે ! તું ભગ્ન મનોરથ યુક્ત થઇને ચિંતા શા માટે કરે છે ? દેવાનુપ્રિયે ! મારો પૂર્વસંગતિક દેવ સંહરણ કરીને અહીં લાવ્યો છે. તેથી હે દેવાનુપ્રિયે ! તું હતમનઃસંકલ્પ થઈને ચિંતા ન કર તું મારી સાતે વિપુલ ભોગોપભોગ ભોગવતી રહે.’ ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! જમ્બુદ્વીપમાં, ભારતવર્ષમાં, દ્વારવતી નગરીમાં કૃષ્ણ નામક વાસુદેવ મારા સ્વામીના ભાઈ રહે છે. તે જો છ માસમાં મને લેવાને માટે અહીં ન આવે તો હે દેવાનુપ્રિય ! હું તમારી આજ્ઞા ઉપાય, વચન અને નિર્દેશમાં રહીશ. ત્યારે પદ્મનાભ રાજાએ દ્રૌપદીના આ અર્થને અંગીકાર કર્યો. દ્રૌપદી દેવીને કન્યાઓના અંતઃપુરમાં રાખી દીધી. ત્યાર પછી દ્રૌપદી દેવી દ્રુભક્ત અને પારણામાં આયંબીલના તપઃકર્મથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. [૧૭૬] અહીં દ્રૌપદી દેવીનું અપહરણ થઇ ગયા પછી થોડા સમયમાં યુધિષ્ઠિર રાજા જાગ્યા. તે દ્રૌપદી દેવીને પોતાની પાસે ન જોવાથી શય્યાથી ઉઠ્યા. ઉઠીને ચારે તરફ દ્રૌપદી દેવીની માર્ગણા-ગવેષણા કરી. પરંતુ દ્રૌપદી દેવીની ક્યાંય પણ શ્રુતિશ્રુતિ-વગેરે યા પ્રવૃત્તિ-ન જણાતાં જ્યાં પાંડુ રાજા હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને પાંડુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy