SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ઠાણ- ૧-૯૬૧ કરી રહ્યા હતા. ત્રીજા સ્વપ્નમાં ચિત્રવિચિત્ર રંગની પાંખોવાળા પુસ્કોકીલને જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીર સ્વસમય અને પરસમયના પ્રતિપાદનથી ચિત્રવિચિત્ર દ્વાદશાંગરૂપ ગણિપિટકનું સામાન્ય કથન કરશે. વિશેષ કથન કરશે, પ્રરૂપણ કરશે, યુક્તિપૂર્વક ક્રિયાઓના સ્વરૂપનું દર્શન-નિદર્શન કરાવશે. જેમ કે આચારાંગ યાવત્ દષ્ટિવાદ. ચોથા સ્વપ્નમાં સર્વ રત્નમય માળાયુગલને જોવાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર બે પ્રકારના ધર્મ કહેશે. જેમકે-આગારગર્મ અને અણગારધર્મ. પાંચમાં સ્વપ્નમાં સફેદ ગાયોના વર્ગને જોયાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર ચાર પ્રકારના સંઘની સ્થાપના કરશે. જેમકે-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. - છઠ્ઠા સ્વપ્નમાં પદ્મસરોવરને જોવાનું ફળ આ છે કે શ્રમણ ભગવાન મહાવીર ચાર પ્રકારના દેવોનું પ્રતિપાદન કરશે. જેમકે-ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. સાતમા સ્વપ્નમાં સહસ્ત્રો તરંગોથી વ્યાપ્ત સાગરને ભુજાઓથી તરવાનું ફળ આ છે કે શ્રમણ ભગવાન મહાવીર અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળી ગતિરૂપ વિકટ ભવાટવીને પાર કરશે. આઠમાં સ્વપ્નમાં તેજસ્વી સૂર્યને જોવાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર અનંતજ્ઞાન અનંતદર્શન પ્રાપ્ત કરશે. નવમાં સ્વપ્નમાં આંતરડાથી પરિવેખિત માનુષોત્તર પર્વતને જોવાનું ફળ એ છે કે આ લોકના દેવ મનુષ્ય અને અસુરોમાં શ્રમણ ભગવાન મહાવીરની કીતિ અને પ્રશંસા આ રીતે ફેલાશે કે શ્રમણ ભગવાન મહાવીર સર્વજ્ઞ સર્વદર્શી સર્વસંશયોચ્છેદક અને જગતુવત્સલ છે. દસમા સ્વપ્નમાં યુલિકા પર સ્વયં ને સિંહાસન પર બેઠેલા જોયાનું ફળ એ કે શ્રમણ ભગવાન મહાવીરદેવ મનુષ્યો અને અસુરોની પરિષદમાં કેવલી પ્રરૂપિત ધર્મનું સામાન્ય ફળથી કથન કરશે યાવતું સમસ્ત નયોને યુક્તિપૂર્વક સમજાવશે. [૯૬૨-૯૬૩ રાગ સમ્યગ્દર્શન દશ પ્રકારનું છે-નિસર્ગરૂચિ- જે બીજાનો ઉપદેશ સાંભળ્યાવિના સ્વમતિથી સર્વશે કહેલા સિદ્ધાંતો પર શ્રદ્ધા કરે, ઉપદેશરૂચિ-જે બીજાના ઉપદેશથી સર્વજ્ઞ પ્રતિપાદિત સિદ્ધાંતો પર શ્રદ્ધા કરે, આજ્ઞારુચિ-આજ્ઞાથી સુત્ર-રચિ થાય, સૂત્રરૂચિ-જે સૂત્ર-શાસ્ત્ર વાંચીને શ્રદ્ધા કરે, બીજરૂચિ- જે એક પદના. જ્ઞાનથી અનેક પદોને સમજી શ્રદ્ધા કરે, અભિગમરૂચિ-જે શાસ્ત્રને અર્થ સહિત સમજી શ્રદ્ધા કરે, વિસ્તારરૂચિ- જે દ્રવ્ય અને તેના પર્યાયોને પ્રમાણ તથા નય વડે વિસ્તારપૂર્વક સમજી શ્રદ્ધા કરે, ક્રિયારૂચિ-જે આચરણમાં રૂચિ રાખે. સંક્ષેપરૂચિ-જે સ્વમત અને પરમતમાં કુશળ ન હોય, પરંતુ જેની રૂચિ સંક્ષિપ્ત ત્રિપદીમાં હોય. ધર્મરૂચિ-જે વસ્તુ સ્વભાવની અથવા શ્રુત ચારિત્રરૂપ જિનોક્ત ધર્મની શ્રદ્ધા કરે. [૯૬૪]સંજ્ઞા દશ પ્રકારની હોય છે. જેમકે–આહારસંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા. ક્રોધસંજ્ઞા યાવત્ લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા. [૯૬૫)નરયિકોમાં દશ પ્રકારની સંજ્ઞાઓ હોય છે. એ પ્રમાણે વૈમાનિક સુધી બધા દડકોમાં દશ સંજ્ઞાઓ છે. નૈરયિક દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. જેમકે શીતવેદના, ઉષ્ણવેદના, સુધાવેદના, પિપાસાવેદના, કંડુવેદના, પરાધીનતા, ભય, શોક, જરા, વ્યાધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy