SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ઠાણ-પ/ર૪૬૩ દોષો. એષણોપઘાત - સાધુ અને ગૃહસ્થ વડે લાગતા શક્તિાદિ દશ દોષો. પરિકમપઘાત-વસ્ત્ર-પાત્રના છેદન યા સિલાઈ આદિમાં મયદાનું ઉલ્લંઘન. પરિહરણોપઘાત-એકાકી વિચરવાવાળા સાધુના વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને ઉપયોગમાં લેવા. પાંચ પ્રકારની વિશુદ્ધિ કહેલી છે. ઉગમવિશુદ્ધિ, ઉત્પાદન- વિશદ્ધિ, એષણાવિશુદ્ધિ, પરિકમવિશુદ્ધિ, પરિહરણવિશુદ્ધિ પૂર્વે કહેલા ઉદ્ગમાદિ દોષોનું સેવન ન કરવું તે વિશુદ્ધિ. [૪૬૪] પાંચ કારણોથી જીવો બોધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય એવા કર્મો ઉપાર્જન કરે છે અહિત પ્રભુનો અવર્ણવાદ કરવાથી, અહત કથિત ધર્મનો અવર્ણવાદ કરવાથી,આચાર્ય ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવાથી. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી. ઉત્કષ તપ અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી થયેલ દેવોનો અવર્ણ- વાદ કરવાથી. પાંચ કારણોથી જીવો, બોધિની પ્રાપ્તિ સુલભ થાય એવા કર્મોનું ઉપાર્જન કરે છે.અરિહંતોનો ગુણાનુવાદ ચાવતુ-દેવોના ગુણાનુવાદ કરવા પર. ૪િ૬૫] પ્રતિસલીન પાંચ પ્રકારના છે, જેમકે શ્રોતેન્દ્રિયપ્રતિસલીન- યાવતુસ્પર્શેન્દ્રિય પ્રતિસલીન. અપ્રતિસંલીન પાંચ પ્રકારના છે,જેમકે- શ્રોતેન્દ્રિઅપ્રતિસંલીનથાવતુ-સ્પર્શેન્દ્રિય અપ્રતિસંલીન. સંવર પાંચ પ્રકારના છે. શ્રોતેન્દ્રિય સંવર-થાવત સ્પર્શેન્દ્રિયસંવર.અસંવર પાંચ પ્રકારના છે-શ્રોતેન્દ્રિય સંબંધી યાવતુ-સ્પર્શેન્દ્રિય સંબંધી. [૪૬]સંયમ પાંચ પ્રકારનો છે, જેમકે-સામાયિકસંયમ, છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાતું ચારિત્ર સંયમ. ૪િ૬૭ એકેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. પૃથ્વીકાય સંયમ યાવતુ-વનસ્પતિકાયિક સંયમ. એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. પૃથ્વીકાયિક અસંયમ યાવતુ-વનસ્પતિકાયઅસંયમ. [૪૬૮] પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારનો સંયમ થાય છે. જેમકે-શ્રોતેંદ્રિયસંયમ યાવતુ અશેન્દ્રિય સંયમ. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારનો અસંયમ થાય છે-શ્રોતેન્દ્રિય-અસંયમ યાવતુ સ્પર્શેન્દ્રિય-અસંયમ. | સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસાને કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. જેમકે-એકેન્દ્રિય સંયમ યાવતું પંચેન્દ્રિય સંયમ. સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. જેમકે-એકેન્દ્રિય-અસંયમ યાવતુ-પંચેન્દ્રિય-અસંયમ. [૬૯] તૃણવનસ્પતિકાયિક જીવ પાંચ પ્રકારના છે. જેમકે-અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજરૂહ. [૪૭૦] આચાર પાંચ પ્રકારના છે. જેમકે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીયરચાર. [૪૭૧] આચાર પ્રકલ્પ પાંચ પ્રકારના છે, જેમકે- માસિક ઉદ્ઘાતિક લઘુમાસ પ્રાયશ્ચિતમાં થોડો અંશ ઓછો કરવો, માસિક અનુદ્દઘાતિક ગુમાસ ચાતુમાસિક ઉદ્ઘાતક લઘુચોમસી, ચાર્તુમાસિક અનુદ્દઘાતિક ગુરુચોમાસી, આરોપણ (માયા કરનારને દોષના પ્રાયશ્ચિત સાથે માયા દોષના પ્રાયશ્ચિતની વૃદ્ધિ કરવી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy