SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉસો-૨ ૩૨૩ મિથ્યાવૃષ્ટિ, સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિનો વિભાગ નથી હોતો બધા મિથ્યાદ્રષ્ટિ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- કાયિકી અધિકરણિકી પાàષિકી પારિતાપનિકી. પ્રાણાતિપાતિકી. નૈરયિકોથી લઈને વૈમાનિક સુધીના જીવોને આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યય. નૈરયિકોથી લઈને વૈમાનિક સુધી બધા દંડકોમાં આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે. જેમકે દ્રષ્ટિજા. પૃષ્ટિજા, પ્રાતીત્યિકી, સામંતોપનિપાતિકી. સ્વાહસ્તિકી. નૈરયિકથી લઈ વૈમાનિક સુધી પાંચ ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે નૈસૃષ્ટિકી. આજ્ઞાપની. વૈદારણિકી. અનાભોગપ્રત્યયા. અનવકાંક્ષા પ્રત્યયા. નરયિકોથી લઈ વૈમાનિક સુધી પાંચ ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે પ્રેમપ્રત્યયા. દ્વેષપ્રત્યયા. પ્રયોગક્રિયા. સમુદાનક્રિયા. ઇયપથિકી. એ પાંચે ક્રિયાઓ કેવળ એક મનુષ્ય દંડકમાં છે શેષ દંડકોમાં નથી. ૪૫૮] પરજ્ઞા પાંચ પ્રકારની છે, જેમકે- ઉપધિપરજ્ઞા, ઊપાશ્રયપરી જ્ઞા, કષાયપરીન્ના, યોગપરીજ્ઞા ભક્તપરી જ્ઞા. [૪૫] વ્યવહાર પાંચ પ્રકારના છે, આગમવ્યવહાર-શ્રુતવ્યવહાર - નવ પૂર્વથી ન્યુન શ્રુતજ્ઞાનવાળાનો વ્યવહાર, આજ્ઞાવ્યવહાર - ઘારણાવ્યવહાર - પૂર્વે ગીતાર્થે કોઈને આલોયણા દીધી હોય. તેને ધારી રાખવું તે ધારણાવ્યવહાર. જીતવ્યવહાર- દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ સંહનન વગેરેને અપેક્ષીને જે ગીતાર્થ પુરુષો એ આચર્યું હોય કોઈ વિવાદાસ્પદ વિષયમાં જ્યાં સુધી આગમથી કોઈ નિર્ણય થતો હોય ત્યાં સુધી આગમાં અનુસારજ વ્યવહાર કરવો જોઈએ. જ્યાં કોઈ આગમથી નિર્ણય ન થતો હોય ત્યાં શ્રતથી વ્યવહાર કરવો જોઈએ. જ્યાં મૃતથી નિર્ણય ન થઇ શકતો હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ગીતાર્થની આજ્ઞાથી સમસ્યા હલ ન થતી હોય ત્યાં ધારણા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ધારણાથી સમસ્યા ન ઉકેલાતી હોય ત્યાં જીત વ્યવહાર અનુસાર વ્યવહાર કરવો જોઇએ. ' હે ભગવન્! શ્રમણ નિર્ગથ આગમ વ્યવહાર ને પ્રમુખ માનવાવાળા છે તો તે પાંચ વ્યવહાર કેમ ? આ પાંચ વ્યવહારોમાંથી જ્યાં જે વ્યવહારથી સમસ્યા ઉકલતી હોય ત્યાં તે વ્યવહારથી પ્રવૃત્તિ કરવાવાળો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. [૪૬] સુતેલા સંયત પુરુષોના પાંચ વિષયો જાગૃત હોય છે. જેમકે – શબ્દ યાવત્ સ્પર્શ. જાગૃત સંયત પુરુષોના પાંચ વિષયો સુતેલા હોય છે. જેમકે : - શબ્દ યાવત્ સ્પર્શ. સુતેલા અથવા જાગૃત અસંયતિ મુનષ્યોના પાંચ વિષય જાગૃત રહે છે. જેમ કે - શબ્દ યાવતું- સ્પર્શ. [૪૬૧] પાંચ કારણોથી જીવ કર્મ-૨જ ગ્રહણ કરે છે. યથા - પ્રાણાતિપાતથી થાવતુ-પરિગ્રહથી પાંચ કારણોથી જીવ કર્મ-રજથી મુક્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતવિરમણથી ધાવતુ પરિગ્રહ વિસ્મરણથી. [૪૨]પાંચ માસ વાળી પાંચમી ભિક્ષુ-પ્રતિમા અંગીકાર કરવાવાળા અણગારને ને પાંચ દત્તિ આહારની અને પાંચ દક્તિ પાણીની લેવી કહ્યું છે. [૪૬૩ પાંચ પ્રકારના ઉપઘાત છે. ઉદ્દગમોપ- ઘાત-ગૃહસ્થ વડે લાગતા આધાકમ આદિ સૌળદોષો. ઉત્પાદનોપઘાત - સાધુ વડે લાગતા ધાત્રી આદિ સોળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy