SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ સ્થાન-૩, ઉદેસો-૩ સંબંધી પ્રેમભાવ નષ્ટ થઈ જાય છે. અને દિવ્ય કામભોગો પ્રત્યે આકર્ષણ થાય છે. દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિત-ચાવતુ-તન્મય બનેલો એવું વિચારે છે કે “હમણાં ન જાઉં, એક મુહૂર્ત પછી જ્યારે નાટકાદિ પૂરા થઈ જશે ત્યારે જઈશ” એટલા કાલમાં તો અલ્પ આયુષ્યવાળા મનુષ્યો મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. આ ત્રણ કારણોથી નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઇચ્છા કરવા છતાં પણ શીધ્ર આવી શકતો નથી. ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા છતાં પણ શીધ્ર આવવામાં સમર્થ થાય છે જેમ કે દેવ લોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિત નહિ હોવાથી વૃદ્ધ ન હોવાથી, આસક્ત નહિ હોવાથી તેને વિચાર થાય છે કે “મનુષ્ય-ભવમાં મારા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્વવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે જેના પ્રભાવથી મને આ પ્રકારની દેવતાની દિવ્યઋદ્ધિ, દિવ્યવૃતિ, દિવ્યદેવશક્તિ વૈકિયાદિની શક્તિ મળી, પ્રાપ્ત થઇ, તેથી જાઉં અને તે ભગવાનને વંદન કરું, નમસ્કાર કરું તેમનો સત્કાર કરું, કલ્યાણકારી મંગલકારી દેવ સ્વરૂપ માનીને તેમની સેવા કરૂં. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિત નહીં હોવાથી - યાવતુ - તન્મય નહીં હોવાથી એવો વિચાર કરે છે કે “આ મનુષ્યભવમાં જ્ઞાની છે, તપસ્વી છે અને અતિદુષ્કર ક્રિયા કરનાર છે. તેથી જાઉં અને તે ભગવંતોને વંદન કરું, નમસ્કાર કરું- યાવતુ તેની સેવા કરું. દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ણિતયાવતુ-તન્મય નહીં થતા એવો વિચાર કરે છે કે મનુષ્યભવમાં મારી માતા-યાવતું મારી પુત્રવધુ છે, તેથી જાઉં અને તેની સમીપ પ્રગટ થાઉં જેથી તે મારી આ પ્રકારની મળેલી પ્રાપ્ત થયેલી દિવ્ય દેવદ્ધિ દિવ્યવૃતિ અને દિવ્યશક્તિને જુવે. આ ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરે તો શીઘ્ર આવી શકે છે. [૧૯૧] ત્રણ સ્થાનો એવા છે જેઓની દેવતા પણ અભિલાષા કરે છે, જેમકેમનુષ્યભવ, આર્ય ક્ષેત્રમાં જન્મ, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ. ત્રણ કારણોથી દેવ પશ્ચાતાપ કરે છે, જેમ કે- અહો ! શારીરિક બળ, આત્મોલ્લાસ રૂપ વીર્ય પુરૂષકાર પરાક્રમ, ઉપદ્રવના અભાવરૂપક્ષેમ અને સુકાલ હોવા છતાં પણ અને આચાર્ય તથા ઉપાધ્યાયની વિદ્યમાનતા, નીરોગ શરીર આટલી સામગ્રી મળવા છતાં પણ મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું નહીં. અહો ! હું વિષયોનો લોલુપ બની આ લોકમાં ફસાઈ રહ્યો, પરલોકથી વિમુખ બન્યો, તે કારણે દીર્ઘ સમય સુધી શ્રામણ્ય પયયનું પાલન કરી શક્યો નહીં. અહો ! અદ્ધિ રસ અને રૂપના ગર્વમાં ફસાઈ અનો ભોગોમાં આસક્ત થઈને મેં વિશુદ્ધ ચારિત્રનો સ્પર્શ પણ કર્યો નહીં. આ ત્રણ કારણોથી દેવો પશ્ચાત્તાપ કરે છે. [૧૯૨] ત્રણ કારણોથી દેવ “હું અહીંથી ચુત થઈશ” એમ જાણી લે છે. જેમ કેવિમાન અને આભારણોની કાન્તિહીન જોઈને, કલ્પવૃક્ષને પ્લાન થતા જોઈને અને પોતાની તેજલેશ્યા ક્ષીણ થતી જોઇને. આ ત્રણ પ્રકારના ચિહ્નોથી દેવ પોતાનું ચ્યવન જાણે છે. ત્રણ કારણોથી દેવ ઉદ્વિગ્ન થાય છે. જેમ કે- અરે ! મને આ પ્રકારની મળેલી, પ્રાપ્ત થયેલી. અને સન્મુખ આવેલી દિવ્યદેવદ્ધિ, દિવ્યદેવઘુતિ, અને દિવ્યશક્તિ છોડવી પડશે. અરે ! મને માતાના આર્તવ (રજ) અને પિતાના વીર્યના સંમિશ્રણનો સર્વ પ્રથમ આહાર કરવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy