SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસી-૩ ૨૫૭. તેઓ નથી પૂછતા, જે પૂર્વકૃત કર્મ દુઃખરૂપ નથી હોતા, તે પણ તે નથી પૂછતા, પણ જે પૂર્વકમ નથી પરંતુ દુઃખરૂપ છે તેના માટે તે પૂછે છે. આશય એ છે કે જેમ અન્ય તર્થિકો અકતકર્મ પ્રાણીઓને દુખ આવે છે, એ પ્રમાણે માને છે. તેમ શું નિગ્રંથો પણ એ પ્રમાણે માને છે? અકતકર્મને દુઃખના કારણભૂત માનવાવાળા વાદીઓનું આ કથન છે કે- કર્મ કર્યા વિના દુઃખરૂપ થાય છે. કર્મનો સ્પર્શ કર્યા વિના દુઃખ થાય છે, કરેલા અને કરાતા કમ વિના દુખ થાય છે. પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કર્યા વિના વેદનાનો અનુભવ કરે છે એમ સમજવું. જે લોકો એમ કહે છે તે મિથ્યા કહે છે. હું એમ કહું છું બોલું છું અને પ્રરૂપણા કરું છું, કે કર્મ કરવાથી દુઃખ થાય છે, કર્મોનો સ્પર્શ કરવાથી દુઃખ થાય છે. કરાતા અને કરેલા કર્મોથી દુઃખી થાય છે, પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કરીને વેદનાનો અનુભવ કરે છે. (કર્યા વિના નહિ) એમ સમજવું. સ્થાનઃ૩-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | ( સ્થાન ૩-ઉદેસોઃ ૩ ) [૧૮૧] માયાવી માયાનું સેવન કરીને તેની ત્રણ કારણોથી આલોચના કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી. આત્મ સાક્ષી એ નિન્દા કરતો નથી. ગુરુની સમક્ષ ગહ કરતો નથી, તે વિચારને દૂર કરતો નથી, તેની શુદ્ધિ કરતો નથી. તેને ફરી નહીં કરવાને માટે તત્પર થતો નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપશ્ચય અંગીકાર કરતો નથી. તે ત્રણ કારણો આ છે- તે એવો વિચાર કરે છે કે ભૂતકાળમાં મેં અમુક કાર્ય કર્યું છે, વર્તમાનમાં પણ હું આ કાર્ય કરે છે અને ભવિષ્ય કાળમાં પણ હું આ કાર્ય કરવાનો છું તો શા માટે તેની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ કરવી જોઈએ. ત્રણ કારણોને લીધે માયાવી જીવ માયા કરીને તેની આલોચના, પ્રતિક્રમણ કરતો નથી-ચાવતુ તપશ્ચર્યા અંગીકાર કરતા નથી. જેમ કે- મારી અપકીતિ થશે, મારો અવર્ણવા થશે,મારો તિરસ્કાર થશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને પણ આલોચના કરતા નથી-ચાવતુ તપ અંગીકાર કરતા નથી. જેમ કે મારી કીર્તિ ક્ષીણ થશે, મારો યશ હીન થશે. મારી પૂજા ઓછી થઈ જશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરે છે, પ્રતિક્રમણ કરે છે. યાવતુ-તપ અંગીકાર કરે છે, કારણ કે (એ સમજે છે કે-) માયાવીની આ લોકમાં નિન્દા થાય છે. પરલોક પણ માયાવી નિન્દનીય થાય છે અને અન્ય આગામી જન્મ પણ ગહિત થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. - યાવતુ-તપઅંગીકાર કરે છે. જેમ કે- અમાયાવીનો આ લોક પ્રશસ્ત હોય છે, પરલોકમાં જન્મ પ્રશસ્ત થાય છે. અન્ય જન્મ પણ પ્રશંસનીય થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે યાવતુ તપ અંગીકાર કરે છે. જેમ કે- જ્ઞાનને માટે, દર્શનને માટે ચારિત્રને માટે [૧૮૨] ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. જેમ કે- સૂત્રના ધારક, અર્થના ધારક અને સૂત્રાર્થ-ઉભયના ધારક. [૧૩] સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના વસ્ત્ર ધારણ કરવા અને પહેરવા કહ્યું છે. જેમકે- ઉનનું, શણનું, અને સૂતરનું-બનેલું. સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના પાત્રો ધારણ કરવા અને ઉપયોગમાં લેવા કહ્યું છે. જેમ કે તુમ્બીનું પાત્ર, લાકડાનું પાત્ર, અને માટીનું પાત્ર. Jain Landation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy