SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસી-૧ ૨૪૯ (પોતાના શિષ્યને સૂત્ર આપનાર), (૨) ફૂલવાલા વૃક્ષની સમાન (ફલ સ્થાનીય સૂત્રનો અર્થ આપનાર) (૩) ફલવાળા વૃક્ષની સમાન (સત્રાર્થ બને આપનાર) ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- નામપુરૂષ, સ્થાપના પુરૂષ અને દ્રવ્યપુરૂષ. ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે. જેમ કે- જ્ઞાનપુરૂષ, દર્શનપુરૂષ અને ચરિત્રપુરૂષ. ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે- વેદપુરૂષ, ચિલ પુરૂષ શબ્દામાત્રથી પુરૂષ, ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે, જેમ કે- ઉત્તમ પુરૂષ મધ્યમપુરૂષ અને જઘન્યપુરૂષ. ઉત્તમ પુરૂષ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે-ધર્મપુરૂષ, ભોગપુરૂષ અને કર્મપુરૂષ. ધર્મપુરૂષ અહંન્ત દેવ છે. ભોગપુરૂષ ચક્રવર્તી છે અને કર્મપુરૂષ વાસુદેવ છે. મધ્યમ પુરૂષ ત્રણ પ્રકારના છે, - ઉગ્રવંશી, ભોગવંશી અને રાજન્યવંશી. જઘન્ય પુરૂષ ત્રણ પ્રકારે છે. - દાસ, ભૂત્ય અને કૃષિઆદિમાં ભાગ લઈને કામનાર. [૧૩૭] મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- અંડજ, પોતજ અને સમુચ્છિમ. અંડજ મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- સ્ત્રીમસ્ય, પુરૂષમત્સ્ય અને નપુંસકમસ્ય. પોતજ મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે સ્ત્રી, પુરૂષ અને નપુંસક. પક્ષી ત્રણ પ્રકારના છે, અંડજ, પોતજ અને સમુચ્છિમ. અંડજ પક્ષી ત્રણ પ્રકારના છે, જેમ કે- સ્ત્રી, પુરુષ અને નપુસંક. પોતજ પક્ષી ત્રણ પ્રકારે કહેલ છે. જેમ, કે- સ્ત્રી, પુરુષ, નપુંસક. એવાજ શબ્દોમાં ઉરપરિસર્પ અને ભુજપરિસર્પનું પણ કથન સમજવું. [૧૩૮] ત્રણ પ્રકારની સ્ત્રીઓ કહેલ છેઃ જેમ, કે- તિર્યંચયોનિકસ્ત્રીઓ મનુષ્યોનિકસ્ત્રીઓ, દેવત્રીઓ. તિર્યંચસ્ત્રીઓ ત્રણ પ્રકારે છે. - જલચર સ્ત્રીઓ, સ્થલચરસ્ત્રીઓ, ખેચરસ્ત્રીઓ. મનુષ્ય સ્ત્રીઓ ત્રણ પ્રકારે છે, કર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળી, અકર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળી, અને અન્તર્કંપોમાં ઉત્પન્ન થવાવાળી. પુરૂષ ત્રણ પ્રકારે છે. તિર્યંચયોનિકપુરષો, મનુષ્યયોનિકપુરુષો, દેવપુરૂષો. તિર્યંચયોનિક પુરુષો ત્રણ પ્રકારના છે. જેમ કે જલચર, સ્થલચર અને ખેચર. મનુષ્યયોનિક પુરુષ ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- કર્મભૂમિમાં ઉત્પન થવાવાળા, અકર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળા અને અન્તર્લીપોમાં ઉત્પન્ન થવાવાળા. નપુંસક ત્રણ પ્રકારે છેઃ નૈરયિકનપુંસક, તિર્યંચયોનિકનપુંસક અને મનુષ્યનપુંસક. તિર્યંચયોનિક નપુંસક ત્રણ પ્રકારે છે. જેમ કે જલચર, સ્થલચર અને ખેચર. મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારે છે, જેમ કે કર્મભૂમિજ, અકર્મભૂમિ, અને અન્તદ્વપજ. [૧૩૯] તિર્યંચયોનિક ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક [૧૪૦] નારકજીવોને ત્રણ લેશ્યાઓ હોય છે, જેમ કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. અસુકુમારોને ત્રણ અશુભલેશ્યાઓ છે. - કૃષ્ણ લેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી સમજવું. પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં પણ એ જ વેશ્યાઓ સમજવી. તેજસ્કાય અને વાયુકાયની લેશ્યા પણ એમ જ જાણવી જોઇએ. બેઈન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિઓને પણ લેશ્યા ઓ નારક જીવોની સમાન જ છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ અશુભ લેશ્યાઓ છે, -કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા અને કાપોત લેશ્યા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ શુભ લેશ્યાઓ છે, - તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુકલ લેગ્યા. એટલે છ લેગ્યાઓ હોય છે. એ પ્રમાણે મનુષ્યોને પણ શુભ અને અશુભબધી વેશ્યાઓ સમજવી જોઇએ. વાણવ્યંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy