SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ઠાણું ૩/૧/૧૪૦ રોને અસુર કુમાર સમાન ત્રણ અશુભ લેશ્યાઓ સમજવી. વૈમાનિક દેવોને ત્રણ વેશ્યા છે, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા. [૧૪૧] ત્રણ કારણોથી તારા પોતાનાં સ્થાનથી ચલિત થાય છે, જેમ કે- વિક્રિય કરતા, વિષયસેવન કરતા, એક સ્થાનથી બીજા સ્થાન પર સંક્રમણ કરતા. ત્રણ કારણોથી દેવ વિધુત્કાર કરે છે. જેમ, કે- વૈક્રિય કરતા, વિષય-સેવન કરતા, તથારૂપ શ્રમણ માહણને પોતાની ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અથવા પુરુષકાર પરાક્રમ બતાવતા. ત્રણ કારણોથી મેઘ-ગર્જના કરે છે. જેમ કે- વૈક્રિય કરતો થકો ઈત્યાદિ જે કારણો વિધુત્કાર માટે કહ્યાં તે અહીં સમજવા. [૧૪૨] ત્રણ કારણોથી લોકમાં અંધકાર થાય છે- અહંત ભગવાનને નિવણ પ્રાપ્ત થવા પર. અહંતપ્રરૂપિત ધર્મ નો વિચ્છેદ થવા પર. પૂર્વગતકૃત (ચૌદ પૂવ) વિનષ્ટ થવા પર. ત્રણ કારણો એ લોકમાં ઉધોત થાય છે, જેમ કે- જ્યારે તીર્થંકર ભગવાન જન્મ ધારણ કરે છે ત્યારે. તીર્થંકર ભગવાન જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે. તીર્થંકર ભગવાનનો જ્યારે કેવલ જ્ઞાન મહોત્સવ થાય છે ત્યારે. ત્રણ કારણોથી દેવભવનોમાં અંધકાર થઈ જાય છે-અહંત ભગવાન નિર્વાણ પામે છે ત્યારે, જ્યારે અહંત પ્રરૂપિત ધર્મ વિચ્છેદ પામે ત્યારે, જ્યારે પૂર્વગત મૃત વ્યચ્છિન્ન થાય છે ત્યારે, ત્રણ કારણોને લીધે દેવભવનોમાં ઉદ્યોત વ્યાપી જાય છે. જ્યારે અહંત ભગવંતનો જન્મ મહોત્સવ થવા પર. “અહી” ભગવંતનો દીક્ષા મહોત્સવ થવા પર, અહંત ભગવાનનો કેવળજ્ઞાન- મહોસવ થવા પર, ત્રણ પ્રસંગ પર દેવ આ પૃથ્વી પર આવે છે, જેમકે અહતના જન્મમહોત્સવ થવા પર, અહિતના દીક્ષા-મહોત્સવ પર, અહિતના કેવલ- જ્ઞાન-મહોત્સવ પર, આ ત્રણ કારણોને લીધે દેવોનું એક જગ્યાએ એકત્ર થવાનું થાય છે, એ જ ત્રણ કારણોને લીધે દેવતાઓમાં હર્ષનાદ થાય છે. ત્રણ પ્રસંગ પર દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવે છે, જેમકે અહત પ્રભુના જન્મ-મહોત્સવ પર, અહિતપ્રભુના દીક્ષા મહોત્સવ પર, અહિત પ્રભુના કેવલજ્ઞાન-મહોત્સવ પર, એ પ્રમાણે સામાનિક દેવો, ત્રાયંત્રિશક દેવો, લોકપાલ દેવો. અગ્રમહિષી દેવીઓ પારિષદ્ય દેવો, સેનાધિપતિ દેવો, આત્મરક્ષક દેવો પણ મનુષ્ય લોકમાં શીઘ આવે છે. ત્રણ પ્રસંગે ઉપસ્થિત થવા પર દેવો પોતાના સિંહાસનથી ઊઠે છે, જેમ, કે અહંન્તોના જન્મ - મહોત્સવ પર, અહંન્તોના દીક્ષામહોત્સવ પર, અહંન્તોના કેવલજ્ઞાન-મહોત્સવ પર. એ પ્રમાણે પૂર્વોક્ત ત્રણ પ્રસંગો ઉપરદેવોનું આસન ચલાયમાન થાય છેઃ દેવો સિંહનાદ કરે છે અને વસ્ત્ર-વૃષ્ટિ કરે છે ત્રણ પ્રસંગો પર દેવતાઓના ચૈત્ય વૃક્ષ ચલાયમાન થાય છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર ઈત્યાદિ પૂર્વત કહેવું. ત્રણ પ્રસંગો પર લોકાંતિક દેવ મનુષ્ય-લોકમાં શીધ્ર આવે છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર, તેના દીક્ષા-મહોત્સવ પર, તેના કેવલજ્ઞાન-મહોત્સવ પર. [૧૪૩] હે આયુષ્કાનશ્રમણો ? ત્રણનો પ્રત્યુપકાર એટલે ત્રણના ઉપકારનો બદલો વાળવો કઠિન છે, જેમ કે માતાપિતાનો, ભતનો અને ધર્માચાર્યનો કોઈ પુરુષ (પ્રતિદિન) પ્રાતઃકાલ માતા-પિતાને શતપાક સહસ્ત્રપાક તેલથી મર્દન કરીને સુગન્ધિત ગંધચૂર્ણ વડે તેમના શરીરનું ઉબટન કરે. ત્રણ પ્રકારના પાણી (ગન્ધોદક, ઉષ્ણોદક, શિતોદક)થી સ્નાન કરાવે. સર્વ અલંકારોથી વિભૂષિત કરીને મનોજ્ઞ હંડીમાં પકાવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy