SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ઠા -૩/૧/૧૩૨ -મનઃકરણ વચનકરણ અને કાયકરણ. એ પ્રમાણે વિકલેન્દ્રિઓને છોડી વૈમાનિક સુધી ત્રણ કરણ જાણવા. ત્રણ પ્રકારના કરણ છે. -આરંભકરણ, પૃથ્વી આદિનું ઉપમર્દન) સંરમ્મકરણ (મનથી સંકલશ કરવું) અને સમારમ્ભકરણ પૃથ્વી આદિને સંતાપ પમાડવો), તે વૈમાનિક સુધી બધા દેડકોમાં ત્રણેય કારણો જાણવા. [૧૩૩] ત્રણ કારણોથી જીવ અલ્પાયુરૂપ કર્મનો બંધ કરે છે. જેમ કે- પ્રાણનો વિનાશ કરવાથી, અસત્ય બોલવાથી અને તથારૂપ શ્રમણ માહણને નિગ્રંથમુનિને) અપ્રાસુક અને અષણીય અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ વહોરાવાથી, ત્રણ કારણોથી જીવ દીઘયુિરૂપ કર્મનો બંધ કરે છે. જેમકે- પ્રાણનો વિનાશ નહીં કરવાથી, મૃષાવાદ-અસત્ય નહીં બોલવાથી અને તથારૂપ શ્રમણ માહણને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહાર વહોરાવવાથી. ત્રણ કારણોથી જીવ અશુભ દીઘીયુ રૂપ કર્મનો બંધ કરે છે, જેમકે- પ્રાણોનો વિનાશ કરવાથી. મૃષાવાદી થવાથી અને તથારૂપ શ્રમણ માહણની ભર્જના કરવાથી, નિન્દા કરવાથી, અપમાન કરવાથી, ગહ કરવાથી અને તેમને અમનોજ્ઞ અપ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાધરૂપ આહાર વહોરાવવાથી. આ ત્રણ કારણોથી જીવ અશુભ દીઘયુિ રૂપ કર્મનો બંધ કરે છે. ત્રણ કારણોથી જીવ શુભ દીઘાયુરૂપ કર્મનો બંધ કરે છે, જેમકેપ્રાણનો વિનાશ નહિ કરવાથી, મૃષાવાદી નહીં હોવાથી અને તથા રૂપ શ્રમણ માહણને વંદન નમસ્કાર કરવાથી, સત્કારસન્માન કરવાથી, કલ્યાણરૂપ, મંગલરૂપ દેવરૂપ અને જ્ઞાનરૂપ માનીને તથા સેવા શુશ્રષા કરીને મનોજ્ઞ પ્રીતિકારી અશન, પાન, ખાદિમાં સ્વાદિમનું દાન કરવાથી. આ ત્રણ કારણોથી જીવ શુભ દીઘયુરૂપ કર્મને બાંધે છે. [૧૩૪] ત્રણ પ્રકારની ગુપ્તિઓ કહી છે-મનોગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ. સંયત મનુષ્યોમાં આ ત્રણે ગુપ્તિઓનો સદૂભાવ હોય છે, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ. ત્રણ પ્રકારની અગુપ્તિઓ કહી છે. મન અગુપ્તિ, વચન અગુપ્તિ અને કાય-અગુપ્તિ. એ પ્રમાણે નારકથી લઈ સ્વનિતકુમારોના જીવોમાં, પંચેન્દ્રિય તિર્યચોમાં, અસંયતિ મનુષ્યોમાં અને વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવોમાં ત્રણ અગુપ્તિઓ કહી છે. ત્રણ પ્રકારે દંડ કહેલ છે. મનોદંડ વચનદંડ, કાયદંડ. નારકોમાં ત્રણ દંડ કહેલ છે. મનોદેડ, વચનદંડ અને કાયદંડ. વિકલેન્દ્રિયો સિવાયના વૈમાનિક સુધી સમસ્ત જીવોમાં ત્રણેય દંડ જાણવા જોઇએ. [૧૩૫] ત્રણ પ્રકારની ગહ કહેલી છે. કોઈક જીવ મનથી ગહ કરે છે, કોઈ જીવ વચનથી ગહ કરે છે, કોઈ જીવ પાપ કર્મ નહીં કરતો કાયા વડે ગહ કરે છે. અથવા ગઈ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- કોઈ જીવ દીર્ઘકાળ સુધી ગહ કરે છે, કોઈ જીવ થોડા કાળ સુધી ગહ કરે છે, કોઈ જીવ પાપકર્મથી પોતાની જાતને દૂર રાખવા માટે શરીરથી પાપ પ્રવૃત્તિ કરતાં નથી. પ્રત્યાખ્યાનના ત્રણ પ્રકાર કહેલ છે- કોઈ જીવ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઇ જીવ વચનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ જીવ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. ગહના વિષયમાં જે પ્રકારે કથન કર્યું તે પ્રકારે પ્રત્યાખ્યાનના વિષયમાં પણ બે આલાપક સમજવા જોઈએ. [૧૩] વૃક્ષો ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે- પત્રયુક્ત, લયુક્ત, પુષ્પયુક્ત. એવી જ રીતે ત્રણ પ્રકારના પુરૂષો કહેલ છે, જેમ કે (૧) પત્રવાળા વૃક્ષની સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy