SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદ્દેસ-૩ ૧૨૫ અધ્યયનઃ ૧-ઉદ્દેસો ૩ [૬૦] આધાકર્મી આહારના એક કણથી પણ યુક્ત તથા શ્રદ્ધાળુ ગૃહસ્થે આગંતુક મુનિઓ માટે બનાવેલો આહાર જે સાધુ હજાર ઘરના આંતરેથી પણ લાવીને ખાય છે તે ગૃહસ્થ અને સાધુ એમ બન્ને પક્ષોનું સેવન કરે છે. [૬૧-૬૩] જે પ્રમાણે પાણીનું પૂર આવતાં પાણીના પ્રભાવથી સૂકા અને ભીના સ્થાને ગયેલી વૈશાલિક જાતની માછલી ઢંક અને કંક વિગેરે પક્ષીઓથી દુઃખી થાય છે, તે પ્રમાણે આધાકર્મી આહારના દોષને ન જાણનારા અને સંસાર અથવા અવિધ કર્મના જ્ઞાનમાં અકુશળ એવા આધાકર્મી આહારનો ઉપભોગ કરનારા પુરુષો દુઃખી થાય છે. તે પ્રમાણે વર્તમાનકાલીન સુખની ગવેષણા કરનાર કોઇ કોઇ શાક્યાદિ શ્રમણ વૈશાલિક મત્સ્યની જેમ અનંતવા૨-જન્મ મરણને પ્રાપ્ત કરશે. [૬૪] પહેલાં કહેલ અજ્ઞાનોથી અતિરિક્ત બીજું અજ્ઞાન આ છે- કોઈ કહે છે- આ લોક કોઈ દેવતાએ બનાવેલ છે. અને બીજા કહે છે કે આ લોક બ્રહ્માએ બનાવેલો છે. [૬૫] કોઈ કહે છે કે- જીવ તથા અજીવથી યુક્ત, સુખ અને દુઃખથી યુક્ત આ લોક ઈશ્વરે બનાવ્યો છે. સાંખ્યમતવાળા કહે છે- આ લોક પ્રધાનકૃત છે. [૬૬] કોઈ અન્યતીર્થી કહે છે- આ લોક સ્વયંભૂએ રચ્યો છે, એવું અમારા મહર્ષિએ કહ્યુ છે. યમરાજે માયા બનાવી છે તેથી આ લોક અશાશ્વત છે. [9] કોઈ કોઈ બ્રાહ્મણ અને શ્રમણ કહે છે કે. આ જગત્ ઈંડાથી બન્યું છે. વસ્તુતત્વને ન જાણનાર તે અજ્ઞાનીઓ મિથ્યા બોલે છે. [૬૮] પૂર્વોક્ત અન્યતીર્થી લોકો પોતપોતાની કલ્પનાના અનુસારે જગતને બનાવેલ કહે છે. પરંતુ તેઓ વસ્તુસ્વરૂપને જાણતા નથી. કારણ કે લોક કદી ઉત્પન્ન થયેલ નથી અને કદી તેનો નાશ થવાનો નથી. કોઈ તેનો કર્તા નથી તેમજ કોઈ સંહર્તા નથી. લોક અનાદિ અને અનંત છે. [૬૯] અશુભ અનુષ્ઠાનથી જ દુઃખ ઉત્પન્ન થાય છે તે જાણવું જોઈએ. દુઃખની ઉત્પત્તિનું કારણ જે જાણતા નથી તે દુઃખના નાશનો ઉપાય કેવી રીતે જાણી શકે ? [0] ગોશાલક-મતાનુયાયી ઐરાશિક કહે છે કે-આત્મા શુદ્ધ અને પાપરહિત છે. તો પણ તે રાગ દ્વેષના કારણે બંધાઈ જાય છે. [૭૧] આ મનુષ્યભવમાં જે મુનિ સંયમમાં રત રહે છે, તે બાદમાં પાપ રહિત થઈ જાય છે. પછી નિર્મળ પાણી ફરી મેલું થાય છે, તેમ તે આત્મા ફરી મલિન થાય છે. [૭૨] બુદ્ધિમાન પુરુષ આ અન્ય તીર્થિકોનો વિચાર કરીને એવો નિશ્ચય કરે કે તે લોકો બ્રહ્મચર્ય પાળતા નથી તથા તે બધા પોતપોતાના સિદ્ધાતંને ઉત્તમ બતાવે છે. [૭૩] મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, અન્યથા નહીં. મોક્ષ પ્રાપ્તિ પૂર્વે મનુષ્ય જિતેન્દ્રિય બનીને રહેવું જોઈએ, તેથી આ લોકમાં ઈષ્ટ કામભોગો પ્રાપ્ત થાય છે અને પરભવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. [૭૪] અન્ય દર્શની કહે છે કે- અમારા દર્શન અનુસાર અનુષ્ઠાન કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સર્વ પ્રકારથી શારીરિક તેમજ માનસિક દ્વંદ્વોથી રહિત થઈ જાય છે. તે અન્ય દર્શનીઓ સિદ્ધિને આગળ રાખીને પોતાના દર્શનમાં ગૂંથાયેલા રહે છે. [૭૫] ઈંદ્રિયવિજયથી રહિત તે અન્ય દર્શનીઓ વારંવાર અનાદિ સંસારમાં For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy