SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સૂયગડો-૧/૫/૨૪૬ છે તે નિર્ણયાત્મક વિચાર અજ્ઞાન પક્ષમાં સંગત થઈ શકતો નથી. અજ્ઞાનવાદી પોતાને પણ શિક્ષા દેવામાં સમર્થ નથી. તો પછી બીજાને શિક્ષા કેવી રીતે આપી શકે? દ્રષ્ટાંત દ્વારા અજ્ઞાનવાદનું નિરાકરણ કરતા શાસ્ત્રકાર કહે છે કે જેમ વનમાં દિશામૂઢ કોઈ મનુષ્ય બીજા દિશામૂઢ મનુષ્ય પાછળ પાછળ ચાલે છે તેઓ બન્ને રસ્તો નહિ જાણવાથી તીવ્ર દુઃખ પામે છે. જે પોતે આંધળો છે તે બીજા અંધને રસ્તામાં લઈ જતાં જ્યાં જવાનું છે ત્યાંથી દૂર ચાલ્યો જાય છે અથવા ઊલટે માર્ગે ચાલ્યો જાય છે અથવા તો ઉન્માર્ગ પકડી લે છે પરંતુ સાચા માર્ગે તે ચાલી શકતો નથી. ૪િ૭-૫૦] તે પ્રમાણે કોઈ મોક્ષાર્થીઓ કહે છે-એમ ધમરાધક છીએ, પરંતુ તેઓ અધર્મનું જ આચરણ કરે છે, તેઓ સરળ સંયમ માર્ગને અંગીકાર કરી શકતા નથી. કોઈ કોઈ દુબુદ્ધિ જીવો પૂર્વોક્ત વિકલ્પોને લઈને જ્ઞાનીની સેવા કરતા નથી, તેઓ પોતાના વિકલ્પોને લઈને “આ અજ્ઞાનવાદ જ સરળ માર્ગ છે” એમ માને છે. આ પ્રમાણે તર્ક દ્વારા પોતાના મતને મોક્ષપ્રદ સિદ્ધ કરતાં ધર્મ અને અધર્મને નહિ જાણનાર અજ્ઞાનવાદીઓ જે પ્રમાણે પક્ષી પીંજરાને તોડી બહાર નીકળી શકતું નથી, તે પ્રમાણે પોતાના દુઃખને દૂર કરી શકતા નથી. પોતપોતાના મતની પ્રશંસા અને બીજાના વચનોની નિંદા કરતાં જે અન્ય તીર્થીઓ પોતાનું પાંડિત્ય દેખાડે છે, તેઓ સંસારમાં જ ભ્રમણ કરે છે. - પિન-પ૪] હવે બીજું દર્શન ક્રિયાવાદીઓનું છે. કર્મની ચિન્તાથી રહિત તે ક્રિયાવાદીઓનું દર્શન સંસાર વધારનારું છે. જે પુરુષ જાણીને કોઈ પણ પ્રાણીની મનથી હિંસા કરે છે, પરંતુ શરીરથી હિંસા કરતો નથી તથા અજાણે કાયાથી હિંસા કરે છે પરંતુ મનથી હિંસા કરતો નથી તે કેવળ સ્પર્શમાત્ર જ કર્મ બંધનનો અનુભવ કરે છે, ક્રિયાવાદીઓના મત અનુસાર કર્મબંધના ત્રણ કારણ છે જેનાથી પાપકર્મોનો ઉપચય થાય છે. કોઈ પ્રાણીને મારવા માટે તેના પર આક્રમણ કરવું બીજાને આદેશ દઇને પ્રાણીનો ઘાત કરાવવો અને પ્રાણીની ઘાત કરનારની મનથી અનુમોદના કરવી. એ ત્રણ આદાન છે, જેની દ્વારા પાપ કર્મ કરવામાં આવે છે, પરંતુ જ્યાં ભાવની વિશુદ્ધિ છે. (અથવું એ ત્રણ નથી) ત્યાં કર્મબંધ થતો નથી, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિપ-પ૬] જેવી રીતે અસંયમી પિતા વિપત્તિવેળાએ પોતાના પુત્રને મારીને રાગદ્વેષ રહિત થઈ તેનું માંસ ખાય તો પણ કર્મથી લિપ્ત થતો નથી, તે પ્રમાણે રાગદ્વેષ રહિત સ્થિતપ્રજ્ઞ સાધુ માંસ ખાવા છતાં પણ કર્મથી લિપ્ત બનતા નથી. અન્યતીર્થિઓનું ઉપર્યુક્ત કથન યોગ્ય નથી, કારણ કે જે મનથી રાગદ્વેષ કરે છે, તેનું મન શુદ્ધ નથી હોતું અને અશુદ્ધ મનવાળા સંવરમાં પ્રવૃત્તિ કરનાર ન હોય. તેથી તેનું આ કથન મિથ્યા છે કે કેવળ મનથી પાપ કરનારને કર્મબંધ થતો નથી. મન કર્મબંધનનું પ્રધાન કારણ છે. પિ૭] પૂર્વોક્ત અન્યદર્શનીઓ સુખભોગ અને માનમોટાઈમાં આસક્ત થઈ રહ્યા છે. તથા પોતાના દર્શનને રક્ષણકત માની પાપકર્મનું સેવન કરે છે. [૫૮] જેમ કોઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નૌકાપર આરૂઢ થઈને પાર જવા ઇચ્છે છે, પરંતુ તે વચમાં જ ડૂબી જાય છે. તેમ મિથ્યાદ્રષ્ટિ અને અનાર્ય શ્રમણ સંસારને પાર કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૧-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy