SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સૂયગડો – ૧/૧/૩/૦૫ ભ્રમણ કરતા રહેશે. તેઓ બાળતપના પ્રભાવથી દેવગતિ પામશે તો પણ ચિરકાળ સુધી અસુકુમાર આદિ પર્યાયમાં ઉત્પન્ન થશે. એમ હું કહું છું. અધ્યયનઃ ૧ - ઉદ્દેસોઃ ૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૧-ઉદ્દેસો ૪ [૭૬] હે શિષ્ય ! તે અન્ય દર્શનીઓ રાગ દ્વેષથી પરાજિત થયેલા છે પરંતુ પોતાને જ્ઞાની માને છે તેથી તેઓ સંસાર (જન્મ-મરણ)થી રક્ષા કરવા અસમર્થ છે. તે બન્ધુ -બાન્ધવ, પિતા-પુત્ર આદિના સંયોગનો ત્યાગ કરીને પણ પચન-પાચન આદિ ગૃહસ્થના કર્તવ્યનો ઉપદેશ આપે છે. [૭૭] વિદ્વાન સંયમી સાધુ તે અન્યતીર્થિકોને સારી રીતે જાણીને તેથી સાથે પરિચય ન કરે. કદાચિત્ સંસર્ગ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરતા, કોઈના પ્રતિ આસક્તિ ન રાખતા રાગ દ્વેષથી રહિત થઈને મધ્યસ્થભાવથી વિચરે. [૭૮] કોઈ અન્યતીર્થી કહે છે- પરિગ્રહ રાખનાર અને આરંભ કરનાર પણ મોક્ષ મેળવે છે. પરંતુ ભાવભિક્ષુ પરિગ્રહ રહિત અને અનારંભી પુરુષને શરણે જાય. [૭૯] વિદ્વાન સાધુ બીજાએ બીજાને માટે બનાવેલા આહારની ગવેષણા કરે, આપેલા આહારને જ લેવાની ઈચ્છા કરે, તે આહારમાં મુર્દા અને રાગદ્વેષ ન કરે, તેમજ બીજાનું અપમાન પણ ન કરે. [૮૦] કોઈ કહે છે કે-લોકવાદ ને સાંભળવો જોઈએ. પરંતુ લોકવાદ વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલ છે અને તેમાં બીજા અવિવેકીઓની વાતનું અનુસરણ છે. [૮૧] લોકવાદીઓનું નિરૂપણ આ પ્રમાણે છે- આ લોક અનંત છે. આ ભવમાં જે જેવો છે તેવો જ પરભવમાં ઉત્પન્ન થાય છે. પુરુષ મરીને ફરી પુરષ જ થાય છે. સ્ત્રી સ્ત્રી જ થાય છે. આ લોક શાશ્વત છે, તેનો કદી નાશ થતો નથી, અથવા આ લોક અંતવાન છે - સાત દ્વીપ સમુદ્ર પર્યંત છે. એમ વ્યાસ આદિ ધીર પુરુષોએ કહ્યું છે. [૮૨] કોઈ કહે છે કે-ક્ષેત્ર તેમજ કાળ સંબંધી સીમાથી રહિત અર્થાત્ અપરિમિત પદાર્થોના જ્ઞાતા તો હોય છે, પરંતુ સર્વજ્ઞ કોઈ નથી. સર્વત્ર પરિમિત પદાર્થોને જાણનાર પુરુષ હોય છે. એવું ધીર પુરુષ જુએ છે. [૮] શાસ્ત્રકાર ઉત્તર આપે છે- આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ અવશ્ય અન્યાન્ય પર્યાયમાં જાય છે, ત્રસજીવ મરીને સ્થાવર થાય છે અને સ્થાવર મરીને ત્રસ છે. [૮૪-૮૫] ઔદારિકશરીરવાળા પ્રાણી ગર્ભ, કલલ, અર્બુદ રૂપ અવસ્થાઓથી ભિન્ન બાળક કુમાર, તરુણ આદિ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. માટે લોકવાદીઓનું કથન સત્ય નથી. દરેક પ્રાણીઓને દુઃખ અપ્રિય છે તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. જ્ઞાની પુરુષોના માટે આ ન્યાયયુક્ત છે. કે- કોઈપણ પ્રાણીની હિંસા ન કરે, અસત્ય ન બોલે, અદત્ત ગ્રહણ ન કરે અને પરિગ્રહ ન રાખે. તેમજ અહિંસા દ્વારા સમતાને સમજે. [૮૬] દશ પ્રકારની સાધુસમાચારીમાં સ્થિત, આહાર વગેરેમાં ગૃદ્ધિરહિત મુનિ જ્ઞાન દર્શન અને ચારિત્રની સમ્યક્ પ્રકારે રક્ષા કરે અને ચાલવા, બેસવા, સુવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy