SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૬) અનિવૃત્તિના પ્રથમસમયે દર્શનમોહની સત્તા સાગરો લક્ષપૃથ (અંત: ક્રોડસાગરો) અને શેષ કર્મોની સાગરો લાકોડ પૃથક્ક્સ (અંત: કો.કો.) હોય છે. ૧૨૬ (૭) અનિવૃત્તિના સંખ્યાત બહુભાગ પસાર થયા પછી ક્રમશ: સ્થિતિખંડ પૃથક્ક્ષના આંતરે આંતરે દર્શનમોહનીય સત્તા અસજ્ઞી પંચે, ચઉ, તેઇ, બેઇ, અને એતુલ્ય થાય છે. ત્યાર બાદ ૧ પલ્યો. જેટલી સત્તા થાય છે. હવેથી એક એક સ્થિતિઘાતમાં સંખ્યાત બહુભાગ સ્થિતિઓ ખંડાય છે. (૮) હજારો સ્થિતિઘાત બાદ ‘દ્વાપષ્ટિ’ આવે છે. આ વખતે સ્થિતિસત્તા P/s જે જે હોય તે એટલી બધી ઓછી હોય છે કે જેથી હવે નવા નવા સ્થિતિઘાતમાં અસ.બહુભાગ ખંડાવા માંડે છે. અને પછી સ્થિતિસત્તા P/a રહે છે. (૯) આવા હજારો સ્થિતિઘાત બાદ સમ્ય૰ મોહની અસ૰ સમય પ્રબદ્ધ ઉદીરણા થાય છે. શેષ પૂર્વે થઇ ગયેલી પ્રરૂપણાવત્ જાણવું. (૧૦) જ્યારે મિશ્રમોહનો ચરમસંક્રમ થઇ જાય છે ત્યાર સભ્ય.ની સ્થિતિસત્તા ૮ વર્ષ હોય છે. માતરે સંખ્યાતા હજાર વર્ષ હોય છે. પણ ૮ વર્ષનો મત પ્રચલિત છે. હવેથી સ્થિતિખંડનો આયામ અંતર્મુ૰ પ્રમાણ હોય છે, સમ્ય ના અનુભાગની સમયે સમયે અપવર્ઝના થાય છે. હવેથી ઉદયસમયથી લઇ ગુણશ્રેણિ શીર્ષ સુધી ઉત્તરોત્તર અસ.ગુણ દલિક નાંખે છે. (અત્યાર સુધી ઉદયાવલિકા બહાર ગુણશ્રેણિ હતી. હવે ઉદયસમયથી એ રચાય છે.) શીર્ષની પછીના ઉપરના એક નિષેકમાં પણ અસ.ગુણ દલિક નાંખે છે.” ત્યારબાદ વિશેષહીન વિશેષહીન નાંખે છે. દ્વિચરમસ્થિતિઘાત સુધી આ પ્રમાણે જાણવું. પ્રશ્ન... ગુણશ્રેણિશીર્ષની ઉપરના એક નિષેમાં પણ અસંખ્યગુણદલિક નાંખે છે, એટલે એનો અર્થ એવો થઇ શકે કે હવે એ ઉપરનો નિષેક શીર્ષ બની ગયો. વળી પછીના સમયે એ શીર્ષની ઉપરના એક નિષેકમાં પણ અસ ગુણ દલિક નાંખવાથી એ વખતે એ ગુણશ્રેણિ શીર્ષ બનશે. આમ શીર્ષ ઉપર ઉપર જતું હોવાથી, હવે ગલિતશેષ ગુણશ્રેણિ હોતી નથી, કિન્તુ અવસ્થિત ગુણશ્રેણિ હોય છે. એવું ફલિત કરી શકાય? ઉત્તર..... ના, ગુણશ્રેણિશીર્ષ સ્થિર હોવાથી ગલિતશેષ ગુણશ્રેણિ જ છે. અર્થાત્ સમ્ય.ની ૮ વર્ષ સ્થિતિસત્તા થયા બાદ પ્રથમસમયે ધારોકે ૧૦૦ મો નિષેક જો ગુણશ્રેણિશીર્ષ છે તો બીજા, ત્રીજા વગેરે સમયે પણ એ જ શીર્ષ તરીકે રહે છે. અને પહેલા સમયે ૧૦૦ મા નિષેકમાં જેટલું દલિક નાખે છે એના કરતા ૧૦૧ માં નિષેકમાં અસંખ્યગુણ દલિક
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy