SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાને પાત્ર જીવોને જોઈને જીવે એમ ચિંતવવું કે આ જીવોએ ક્રૂરતા, અસત્યાચરણવશ પૂર્વે કર્મ બાંધ્યા છે તેનું ફળ ભોગવી રહ્યા છે. માટે મારે પ્રભુનું શરણ સ્વીકારી ધર્મમય, સત્યમય, પરોપકારમય જીવન જીવવું જેથી લોક કરૂણાને પાત્ર ન બનું, પણ પ્રભુની કરૂણાને પાત્ર બનું તો જન્મ મરણથી મુકત થઈ શકું. આ કરૂણાના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય કરૂણા (૨) ભાવ કરૂણા દ્રવ્ય કરૂણા : જરૂરિયાતવાળા જીવો, ધન્ય ધાન્યથી દુઃખી હોય, રોગાદિથી પિડાતા હોય, માનસિક રીતે પીડા પામતા હોય, તેમના વધબંધન છેદન થતા હોય તેમને સહાયક બનવું તે દ્રવ્ય કરૂણા છે. નિશ્ચયથી આત્મસમ ગણીને વ્યવહારથી જે દુઃખીને મદદ કરશે તેની કરૂણા સહજ બનશે. ભાવ કરૂણાઃ અજ્ઞાનવશ પાપાચરણ કરનારા વિપરીત માર્ગે ચાલનારા ધર્મભાવનાથી વિમુખ, એવા જીવોને ધર્મમાર્ગે વાળવા, પ્રેમથી સાચો રાહ બતાવવા ધીરજપૂર્વક તેમને બોધ આપી સત્સંગ માર્ગે લઈ જવા તે ભાવ કરૂણા છે. આવી ભાવના સ્વાર શ્રેયરૂપ છે. આવી ભાવ કરૂણાથી સહાયકનું ચિત્ત નિર્મળ થાય છે. તે જીવનમાં સાચો આનંદ માણી શકે છે. અર્થાત્ સુખ માણી શકે છે. ૪. માધ્યસ્થભાવના : માધ્યસ્થભાવના નિર્લેપતાથી ટકે છે. ત્રણે ભાવનાનું હાર્દ આ ભાવનામાં સમાય છે. તમારી મૈત્રી, પ્રમોદિતા કે કારૂણ્ય ત્રણે ભાવના અપેક્ષા રહિત હોવી જોઈએ. હું પરભાવોનો કર્તા, હર્તા, પ્રેરક કે સહાયક નથી, એવા આત્મભાન સહિત જ્ઞાની કોઈ પરિસ્થિતિમાં મૂંઝાતા નથી. રાગ દ્વેષ અને મોહગ્રસિત જીવ માધ્યસ્થભાવમાં ટકી શકતો નથી. માધ્યસ્થભાવ તૂલ્યભાવરૂ૫ છે. નીતિમાન વ્યાપારી ત્રાજવાની દાંડીને સમતોલ રાખે છે તેમ સાધક-જ્ઞાની, સુખ દુઃખ, હર્ષશોક, ગમાઅણગમાના સંયોગમાં ચિત્તને-ભાવને સમતોલ રાખે છે. માધ્યસ્થ ભાવનાથી ભાવિત સાધક નિઃસ્પૃહ હોય છે. ઉપકારના બદલામાં તેને કોઈ વિકલ્પ હોતા નથી. ઉપકારક તરફથી અપકાર થાય તો પણ તેનું ચિત્ત ચપળ થતું નથી. સ્વયં પૌદ્ગલિક સુખોની સ્પૃહા રાખતો નથી. માધ્યસ્થી ચિંતન કરે છે કે મારો આત્મા સ્વમાં સંપૂર્ણ સુખી છે મારે અન્ય પદાર્થોની સ્પૃહા શા માટે ? સ્વજનોની ચાહનાની સ્પૃહા શા માટે ? ત્યાગી હોય તો ચિંતવે છે કે મારે લોકેષણા શા માટે ? લોક મારું શું ભલું કરવાનું છે ! તેથી લોકસંપર્ક છતાં ઉદાસીનભાવે રહે છે. ચિંતનયાત્રા Jain Education International For Private & Personal Use Only ચાર ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy