SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાસીનભાવ એટલે જડચેતન પદાર્થો પ્રત્યે ન રાગ ન ષ. એ સાધુ સુખી છે, જે જડથી ઉદાસીન છે તેની આત્મવૃત્તિ નિર્મળ હોય છે. જે મુક્તિનું કારણ બને છે. કોઈ વંદક હોય કે નિંદક હોય, તમારી હિતકારી વાત સાંભળે કે ન સાંભળે, તમારા સ્વજનો પણ તમને અવગણે તો પણ સાધકે મૂંઝાવું નહિ પણ મધ્યસ્થ રહેવું કે આ તો પૂર્વસંચિત કર્મોનો ઉદય છે. કોઈનો દોષ નથી. અરે અજ્ઞાની જીવો અજ્ઞાનવશ દેવની, ગુરુની, ધર્મની, શાસ્ત્રની, ગુણીજનોની નિંદા કરે તો પણ સાધકે ઉત્તેજિત ન થવું. તેને કરૂણાથી સમજાવવો, ન સમજે તો તેની પ્રત્યે ઉપેક્ષા કરી શાંત રહેવું. વળી જગતનું રૂડું કરવાનું આપણા હાથમાં નથી માટે સદેવ આત્મભાવમાં રહેવું, પરના વિકલ્પનો ત્યાગ કરવો. નિશ્ચયથી આત્મા નિર્વિકાર, નિમોંહ, વીતરાગ, ચૈતન્યસ્વરૂપ છે. પછી મારે પરનિમિત્તથી શા માટે રાગાદિ કષાયો Wવા ? આત્મવૃત્તિમાં સ્થિર રહી આત્મહિત કરવું. જેમાં સઘળું સુખ સમાયું છે. ચારાભાવનાનો સારાંશ : પ્રાણોને ધારણ કરનારા સર્વ જીવો તે સુખમાં હો કે દુઃખમાં હો તેઓ શત્રુભાવે હો કે મિત્રભાવે હો, તે સર્વ પ્રત્યે હિતબુદ્ધિ રાખવી તેને જ્ઞાનીઓ મૈત્રી ભાવના કહે છે. વળી આત્મદષ્ટિએ જોતાં સર્વનું જ્ઞાન, સ્વરૂપ, શક્તિ સમાન છે. તેથી શત્રુમિત્રાદિ ભેદ કરવાની જરૂર નથી. સમગ્ર સૃષ્ટિમાં જીવતત્ત્વ સમાનભાવે છે માટે સૌ પ્રત્યે મૈત્રીભાવના રાખવી. - જિનપ્રણિત ધર્મવાળા, જ્ઞાનચક્ષુવાળા, તપશ્ચર્યા કરવાવાળા કષાયરહિત, ઈન્દ્રિય સંયમવાળા ગુણવાનોના ગુણો પ્રત્યે આનંદ પામવો તેની અનુમોદના કરવી તે પ્રમોદભાવના છે. પ્રમોદ યથાર્થ સર્વવ્યાપી મૈત્રીને લાવે છે. ગુણશોધકને સર્વત્ર ગુણ દેખાય છે. છતાં એવી યોગ્યતા ન હોય તેણે દેવાધિદેવ, સદ્ગુરુજનો તથા સત્સંગીઓમાંથી ગુણો મેળવવા, જેમ કીડી કાંકરીના ઢગલામાંથી સાકરની કણ શોધી લે છે તેમ સાધકે દેખાતા દુર્ગુણીમાંથી પણ ગુણ શોધી લેવો તેમાં પોતાને શાંતિ અને આનંદ મળે છે. પ્રમોદભાવના દ્વારા જીવ સદગુણી બની અનુક્રમે ધર્મધ્યાનને પાત્ર થયે યોગ્યકાળે શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ મુકિત પામે છે. કર્મવશ પ્રાણી દુઃખ સહન કરે છે, સંસારના ભીષણ વનમાં ભટકે છે. ધર્મમાર્ગની સામગ્રી મળવા છતાં તેના તરફ એ દુર્લક્ષ કરે છે. વળી ચિંતનયાત્રા ૮૭ મૈત્રી આદિ ચાર ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy