SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈની નિંદા કરવી નહિ કે સાંભળવી નહિ. અસત્ય વદવું નહીં. ગુણાનુરાગી બનો તેમાં સ્વ-પર શ્રેય છે. હે જીવ! તું વિચારજે, ચિંતન કરજે કે તું જયાં વસે છે ત્યાં કોઈ દાની, જ્ઞાની, મુનિ, તપસ્વી, ત્યાગી, વ્રતી, સંયમી જેવા મહાનુભાવો વસે છે. તેમના પ્રત્યે સભાવના રાખવી. તેઓ સંપૂર્ણ નથી, હું પણ સંપૂર્ણ નથી. તેમ તેઓના ગુણ જોવા અને તેનાથી આનંદિત થવું. વળી એકાંત મળે ત્યારે સત્પુરૂષોના જીવનપ્રસંગોનું ચિંતન કરવું. શાલિભદ્ર, સ્થૂલિભદ્ર, ગજસુકુમાર, સુકોશલમુનિ, અમરમુનિ, સતી સુલસા, સુભદ્રા, કુંતી, સીતા, ચંદનબાળા, જેવા ગુણવાનોના ગુણમાં લીન થવું જેનાથી તેમના જેવા ગુણોની જીવમાં ક્ષમતા વધે. “ઉત્તમસંગે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી” જીવ એકવાર ગુણસેવક થા પછી તને વર્તમાનમાં પણ ગુણવાનોનો ભેટો થશે. કોઈના તપ દાનની વૃદ્ધિમાં શંકા કે અસૂયા તો લાવતો જ નહિ. હું એવા મહાપાપમાં શા માટે પડું? મને મેવા મિઠાઈ મળે છે શા માટે કૂસ્કીમાં હાથ નાખું? ભલે કોઈ જીવ જ્ઞાની ન હોય, મિથ્થામતિ હોય છતાં તેનામાં સત્ય, દયા, પરોપકાર જેવા ગુણો હોય તો તેના ગુણોથી પ્રસન્ન રહેજે. જે સંસારભાવથી વિરકત છે તેના ગુણો ગ્રહણ કરવા. હે માનવ ! તું વિચારજે કે કેટલા પુણ્ય તને વિચાર શક્તિસહિત વાચા મળી છે. તેને વ્યર્થ ન કર પરંતુ પરગુણ પ્રશંસામાં સાર્થક કરજે. તું સુખી, સૌ સુખી. 3. કરૂણા ભાવના : “મહામોહ પંજર વિષે જગત જીવ મુંઝાય, કર્મવશ તે બાપડા આમ તેમ અથડાય, ક્રૂર ધર્મનિંદમાં સહુ, કરૂણા પાત્ર ગણાય, સજ્જનને તે ઉપરે, ઘટે ન ક્રોધ જરાય.” દીન દરિદ્રી દુઃખી કે ધર્મ વિહોણા જીવો પરિસ્થિતિવશ કંઈ અપરાધ કરે તો સાધકે તેમના પર ક્રોધ ન કરતા કરૂણા રાખવી. તેઓ પરિસ્થિતિવશ આ પ્રમાણે વર્તે છે, કર્મનો ભોગ થયેલા તે જીવો દુ:ખી છે તેમના પર કરૂણા રાખવી. પુત્રનું દુઃખ જોઈ માને કેવું દુઃખ થાય છે ? તેમ વિચારી કરૂણા રાખવી. વળી આપણને જેના ઉપકારથી આ માનવદેહ અને ધર્મ મળ્યો છે તે ભગવંત તો કરૂણાના સાગર હોય છે આપણે તેમાંનો એક અંશ સ્વીકારી લઈએ તો સ્વપર શ્રેય છે. ચિંતનયાત્રા ૮૫ મૈત્રી આદિ ચાર ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy