SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સંસારમાં રહેવું છે અને ધર્મ કહેવરાવવું છે તેનો કુતર્ક એવો હોય છે કે સંસારનો ત્યાગ કરી સાધુ થવાને બદલે સંસારમાં રહી પરોપકારના કામ કરીએ તે સારું. કુમારપાળ મહારાજ, વસ્તુપાળ, તેજપાળ જેવાએ સંસારમાં રહીને કાર્ય કર્યું. તેમના નામ અમર થયા. અરે ભાઈ ! ક્યાં રાજાભોજ અને ક્યાં ગાંગો તેલી ? જીવને કુમારપાળ, વસ્તુપાળ કે તેજપાળ થવું પરવડે એવું છે ? ગુરુને સમર્પણ થઈને કુમારપાળ થવું તને પરવડશે? વસ્તુપાળ તેજપાળની જેમ લક્ષમીનો નિર્ચાજ કોઈ અપેક્ષા વગર સદ્વ્યય ક્રવાના ભાવ થશે? વળી તેમના અંતરનો પોકાર હતો કે જૈનશાસનમાં જગ્યા પણ ભીક્ષાધર્મ સ્વીકારી ન શક્યા. અમે સુખી છીએ તેમ માનતા ન હતા. બાહ્મચારિત્ર ન લઈએ અને ભાવચારિત્રામાં રહીએ તો, અર્થાત દ્રવ્યલિંગ ન લઈએ અને ભાવલિંગી થઈએ તો આત્મકલ્યાણ ન થાય ? સાચું ભાવચારિત્ર પ્રાયે સાતમા ગુણસ્થાનકે હોય, તેની ઉત્કૃષ્ટતા શ્રેણિમાં હોય, શ્રેણિ કેટલા કાળની હોય? અંતર્મુહુર્ત સમજો કે પાંચ પંદર મિનિટ. જીવ પોતાને ભાવલિંગી માને તો વિચારવું કે કેટલા વરસથી તું એ સ્થાને છે. આવી પોકળ વાતો કરી ભ્રમમાં રહીને અને અન્યને પણ રવાડે ચઢાવી સંસારવૃદ્ધિ શા માટે કરે છે ! વળી દ્રવ્યલિંગ હોય તેને ભાવલિંગ હોય કે ન હોય પણ ભાવલિંગીને તો દ્રવ્યલિંગ હોય જ. ભરત ચક્રવર્તીને અરીસાભવનમાં પૂર્ણ વૈરાગ્યભાવના પ્રગટી, દેહ પરના પરિધાન ત્યાગ કર્યા. કેવળજ્ઞાન પ્રગટ્યું પછી કેટલો કાળ તે સ્થળે રહ્યા? ભાઈ તને સ્મશાનમાં સ્વજનને અગ્નિ મૂકતા કે સામાયિક કરતાં પણ કેટલો વૈરાગ્ય આવે છે ? પછી તું સંસારમાં રહીને શું આત્મકલ્યાણ કરવાનો છું? આવી રીતે મનને છેતર્યા વગર સીધો જ સર્વજ્ઞએ ઉપદેશ કરેલા માર્ગે ચાલવા માંડે તો તારું કલ્યાણ છે. વાસ્તવમાં તર્ક કે કુતર્કથી કોઈ નિવેડો નથી. આગમજ્ઞાનને પ્રમાણ જાણી વ્યર્થ પરિશ્રમ ન કરવો. અવેદ્યસંવેદ્યપદ, મિથ્યાત્વનું પ્રાબલ્ય જીવને કુતર્ક અને બીજા પણ ઘણા દોષો ઘેરી લે છે. આગળ જણાવ્યું છે તેમ સજઝાયમાં પણ કહ્યું છે કે, “લોભી પણ દયામણો જી, માયી મચ્છર (મત્સર) ઠાણ, ભવાભિનંદી ભય ભયો જી, અફલ આરંભ અયાણ. મન. એવા અગુણવંતનું જી, પદ છે અવેધ કઠોર, સાધુસંગ આગમ તણો છે, તે જીત્યો ધુરંધોર. તે જીતે સહેજે ટળે જી, વિષમ કુતર્ક પ્રકાર દૂર નિકટ હાથી હણે જી, જિમ એ બઠર વિચાર.” -આ. દ. સઝાય, ઉ. શ્રી યશોવિજયજી. યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ ૨૩૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy