SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અહિસા માનવી. આવા ભ્રમને સેવનારો પોતાની માન્યતા સાચી સિદ્ધ કરવા કુતર્કો કરે છે. સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં શંકા-કુતર્કો કરે છે. જેમકે ચોથા આરામાં વિજળીના મોટા દીવા ન હતા તેથી રાત્રી ભોજનનો ત્યાગ કહ્યો હશે. ભાઈ ! સર્વજ્ઞને ત્રણે કાળનું જ્ઞાન હોય છે. પાંચસો વર્ષ પહેલા બટાટા હતા નહિ તો પછી તેમાં પાપ ગણી આહારનો નિષેધ કેમ કર્યો છે? ભાઈ ! સર્વજ્ઞ પરમાત્માએ કંદમૂળ માત્રનો ત્યાગ કહ્યો છે. તેમાં પાંચસો વર્ષની ગણત્રી ન હોય પણ ત્રિકાળની ગણત્રી હોય અને જેને કંદમૂળની વ્યાખ્યા લાગુ પડે તે બધા બટાટા કે ખટાટા કંદમૂળ જ કહેવાય. કોઈ મતવાળા કહેશે આત્મા એકાંતે શુદ્ધ છે, કોઈ કહેશે આત્મા ફૂટસ્થ નિત્ય છે. એક કહેશે દેહ જ આત્મા છે. સર્વજ્ઞ પરમાત્મા અનેકાંતધર્મનો બોધ આપે છે. આત્મા શુદ્ધાશુદ્ધ, નિત્યાનિત્ય છે. સ્વભાવે શુદ્ધ અને નિત્ય છે. વિભાવ દશામાં અશુદ્ધ અને અનિત્ય છે. દેહ જ આત્મા હોય તો દેહ નિર્જીવ થઈને પડયો રહે અને કોઈ તત્ત્વ જતું રહે તે દર્શાર્વે છે દેહ જ આત્મા હોય તો આવું ન બને. - મિથ્યાષ્ટિ જીવોમાં ઘણા દોષો સાથે એક દુષ્ટ દોષ કુતર્ક છે. જેમાં દુરાગ્રહનું લક્ષણ મુખ્ય છે. પોતે માન્યું તે જ સાચું. કોઈવાર તેવા જીવો સર્વજ્ઞના જ્ઞાન કરતા પોતાને દોઢડાહ્યા માને છે. આવા કુતર્ક-દોષ આત્માના ભાવશત્રુ છે. બહારનો શત્રુ તો કંઈક કારણથી ઓળખાય પણ આ શત્રુને કળવો કઠણ છે. આત્માના પારમાર્થિક વિકાસને રૂંધનાર, અહિત કરનાર છે. શાસ્ત્રકારે તેને વિષમગ્રહ કહ્યો છે. નવગ્રહથી વિશેષ કષ્ટદાયક જેમ પરિગ્રહ છે. તેમ કુતર્ક વિષમગ્રહ છે. ખોટું છે તેમ જાણવા છતાં કદાગ્રહ, કુતર્ક છૂટે નહિ. નવગ્રહના નડતર થંચિત મંત્રાદિથી દૂર થાય પણ આ કુતનો વિષમગ્રહ તો તેનાથી પણ દારૂણ છે. છતાં વેધસંવેધપદથી તે દૂર થાય છે. અર્થાત્ સમ્યગુજ્ઞાન માત્ર ઉપાય છે. સર્વજ્ઞની વાણીમાં શ્રદ્ધા છે તે શંકા કરી સમાધાન શોધે પણ શ્રદ્ધહીન તર્ક-કુતર્ક કરી સમયને વ્યર્થ ગુમાવે છે. ભૂખ લાગી છે, ભોજન તૈયાર છે, થાળીમાં વસ્તુ મૂકી છે. હવે તું તર્ક કરે આ વસ્તુનું મૂળ શું, કયા દેશની છે, કેવી રીતે બની અથવા એ શકય નથી વગેરે, કુતર્કથી તારું પેટ ભરાવાનું નથી. મા બાળકને આહાર આપે બાળક શ્રદ્ધાથી ગ્રહણ કરે છે. તેમ સર્વજ્ઞની વાણી વાત્સલ્યપૂર્ણ હિતકારી છે. તેને ગ્રહણ કરી કુતર્કનો ત્યાગ કરી સમયનો ઉપયોગ કરી લે. યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રાદેષ્ટિ ૨ ૩૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy