SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અગુણવંત, અવેદ્યસંવેદ્ય વસ્તુને જેમ છે તેમ ન સમજતા, વિપરીત સમજે, જાણે એમ જ શ્રદ્ધા કરે. માર્ગે જતાં ખાડો આવે તો કાળજીથી ઉલ્લંઘી જવાય પણ અંદર પડીને માપ કાઢે તે મૂર્ખ બઠર કહેવાય. તેમ વળી માર્ગે જતાં તોફાની હાથી દોડતો આવે ત્યારે બાજુએ ખસી જવાનું હોય પણ હાથી નજીક આવે ત્યારે પણ તર્ક કરે કે હાથી નજીક રહેલાને મારશે કે અડેલાને મારશે કે દૂર રહેલાને મારશે? આવા કૃતર્કની જેમ જ ભવાભિનંદી ગુરુગમે, શાસ્ત્રગમે આરાધના કરવાને બદલે મતિકલ્પના વડે જ્ઞાનીજનોના બોધને અવગણે, હાંસી કરે. તત્ત્વ સભર જ્ઞાનને ગીતાર્થજનોના બોધ વડે સમજવાને બદલે આ તો જૂના કાળની વાત છે આપણે કાળ પ્રમાણે ધર્મ કરવો જોઈએ. આવા કદાગ્રહ વડે તે જીવો શાંતિ પામતા નથી. દયા ધર્મનું મૂળ છે તો પછી સત્પાત્રને જ વિશેષ માનવામાં આવે છે અને બીજા દયાદાનાદિની ગૌણતા કેમ થાય છે? સત્પાત્ર એટલે સદેવ-ગુરુ-સંયમીજનોની ભક્તિ, સેવા, વૈયાવચ્ચના કાર્યો ગણવામાં આવે છે. તેની સત્પાત્રતા તેમાંના સંયમી-પવિત્ર જીવનને કારણે છે. તેથી તે સ્થાનોમાં દાનાદિ કાર્યોમાં જીવને સહજ ઉલ્લાસ અને ભાવનાની વૃદ્ધિ થાય છે. વળી જૈનશાસનમાં દીનદુઃખીજનોને અનુકંપાદાન તથા મૂંગા પશુઓના પાલનને પણ સ્થાન છે. અન્ય દર્શનની જેમ ગૌરક્ષા જ માત્ર માનવામાં આવી નથી પણ કીડીના દરથી માંડીને મોટા પ્રાણીઓ સૌનો સમાવેશ કરેલો છે. દયાવાન જીવે વિવેકપૂર્વક કાર્ય કરવું. જે સમયે જે કરવાનું તેનું ઔચિત્ય જાળવવું. જીવને ધર્મ સમજવો છે પણ શાસ્ત્રાદિ જ્ઞાનના અભાવે શંકા થાય તો તે શ્રુતજ્ઞાન દ્વારા ગુરુગને શીયલ અને સમાધિમાં તેનો ઉપાય શોધવો. શ્રુત આગમાદિ શાસ્ત્રોનો ગુરુગમે અભ્યાસ કરવો. ન સમજાય તો પૃચ્છા કરી સમાધાન મેળવવું. પછી તે તત્ત્વાદિનું એકાંતે મનન ચિંતન કરવું. જેમ જેમ તેમાં કુશાગ્ર બનતો જાય તેમ ગુરુ આજ્ઞા મળે અન્યને પણ ભણાવવા. વળી તે શાસ્ત્રો, જ્ઞાનીજનો અને શાસ્ત્રના સાધનોનું અંતરમાં બહુમાન રાખવાથી જ્ઞાનનો ક્ષયોપશમ સહજ પ્રગટે છે. કારણકે જ્ઞાન એ તો આત્માનો અભેદ ગુણ છે. તે આવરણ પામ્યો હતો. વિવેક વડે તે આવરણ ટળવાથી જ્ઞાન સ્વયં પ્રગટ થાય છે. જ્ઞાનમાર્ગે પણ અપૂર્ણદશામાં પડવાના ઘણા સ્થાનકો છે. માટે ગુરુજનોની નિશ્રામાં શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવું. - શીલ ગુણ. સાચો સાધક કુતર્કને ત્યજી દે છે, ત્યારે તેનામાં ગુણો યોગદષ્ટિ સમુચ્ચય ૨૩૬ દીપ્રાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy