SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ગયેલું બીજ ઉગતું નથી. ઉખર ભૂમિમાં બીજ ઉગતું નથી તેમ અહીં બીજાધાન થતું નથી. ગ્રંથકાર જણાવે છે કે કાળ અયોગ્ય હોય, પાત્ર અયોગ્ય હોય, ભૂમિ અયોગ્ય હોય તો ફળ પ્રાપ્તિ થતી નથી. તેમ ઓઘદૃષ્ટિવાળા માટે બીજાધાન અયોગ્ય કાળ છે. દુર્ભવ્ય કે અભવ્ય જીવો પાત્ર તરીકે અયોગ્ય છે. પ્રથમ ત્રણ દૃષ્ટિવાળા જીવોની ભૂમિકા નથી એટલે ઉખરભૂમિમાં બીજ ન ઉગે તેમ આ જીવોમાં બીજાધાન થતું નથી. ચોથી દૃષ્ટિવાળાનું મિથ્યાત્વ અતિમંદ થવાથી કંઈક ભૂમિકા થઈ છે. તે વિશેષ પ્રયત્ન દ્વારા સત્સંગ અને આગમશ્રવણ દ્વારા આગળની દશામાં વેદસંવેદ્યપદને પામી શકે છે. આ ચાર દૃષ્ટિ પ્રતિપાતયુક્ત છે. આ દષ્ટિઓ યોગમાર્ગની છે, છતાં મિથ્યાત્વની અસર હોવાથી અધ્યાત્મ માર્ગથી પતન થવાનો સંભવ છે. મિથ્યાત્વ ભયાનક પરિણામ છે. જીવમાં વિપરીત બુદ્ધિ પેદા કરે છે. પરમાર્થનો વિવક નથી. આ જીવો ભવાભિનંદી છે. મિથ્યાત્વના કારણે કેટલાક દોષોનું સેવન કરે છે. તે દોષો આ પ્રમાણે છે. મિથ્યાત્વની ભયંકરતા સમજાવવા તેનું નિરૂપણ કર્યું છે. ક્ષુદ્ર : અસાર એવા સાંસારિક ભોગસુખોમાં મગ્ન હોય છે. લાભરતિ : પૌલિક વસ્તુઓ અને તે દ્વારા સુખ મેળવવામાં તેને આનંદ આવે છે. ધર્મની પ્રવૃત્તિ પણ એવા હેતુથી કરે છે. તુચ્છ સુખનો લાભ મેળવવાનો આનંદ. દીનઃ ભૌતિક સુખનો આકાંક્ષી હોવાથી તેના અભાવે દીન દુઃખી બની જાય છે. મત્સર : અરૂચિ, અનાદર, આત્મિક ગુણો પ્રત્યે અભાવ. ભયભીત : વિવેકહીનતાને કારણે અકાર્ય કરી ભય પામનારો, પણ અકાર્ય ત્યજે નહિ. માયાવીઃ અજ્ઞાનવશ આત્મિક સુખથી વંચિત થઈ પોતાને જ ઠગનારો. મૂર્ખ : હિતાહિતના વિચાર વગરનો. સંસારરસિક : સંસારના કોઈ પદાર્થોમાં સુખ આપવાની તાકાત નથી છતાં નિરંતર પાણી વલોવી તેલ મેળવવા પ્રયત્ન કરનારાની જેમ જીવનભર સંસારના સુખ માટે પ્રયત્ન કરનારો. કદાચિત તેને કોઈ સદ્ગુરુનો મેળાપ થાય અને ધર્મનો બોધ આપે ત્યારે પણ સાંસારિક સુખનો અભિલાષી પદ્ગલિક સુખને ઈચ્છે છે. અજ્ઞાનવશ જન્મને વ્યર્થ ગુમાવે છે. મિથ્યાત્વની ભયાનકતા ઘણી વિસ્તૃત છે. ધર્મમાં અધર્મ જોવો. હિંસામાં યોગદષ્ટિ સમુચ્ચય - ૨૩૩ દીપ્રાદેષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy