SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પગ મૂકવો પડે તો મનમાં ધ્રૂજારી છૂટે છે. તપ્ત ગોળા પર પગ મૂકતા દુઃખ અનુભવે છે. ત્યાંથી જલ્દી છૂટાય તેમ ઈચ્છે છે. પગને ઉઠાવીને ઠંડકમાં મૂકવા પ્રયત્ન કરે છે. તેવી રીતે આ પદ અને બોધવાળો જીવ પૂર્વે બાંધેલા કર્મોના ઉદય વખતે પાપપ્રવૃત્તિ કરવી પડે તો રાચીને કરતો નથી. મનમાં મૂંઝાય છે. શરીર પણ ધ્રૂજી જાય છે. દુઃખી થાય છે. તે પાપકાર્યથી છૂટવા તલસે છે. અને શીઘ્રતાએ તે પાપકાર્યથી નિવૃત્ત થાય છે. “તે પદ ગ્રંથિ વિભેદ થીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ, તપ્તલોહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ. એહ થકી વિપરીત છેજી, પદ તે અવેધસંવેધજી. ભવાભિનંદી જીવને જી, તે હોય વજા અભેદ.'' ઉ. શ્રી યશોવિજયજી. સજઝાય જે જીવોએ ગ્રંથિભેદ કર્યો નથી તેવા જીવો આત્મિકસુખ પામતા નથી. તે હજી યથાર્થબોધ પામ્યા નથી. ભ્રમિત થઈને પાંચે ઈન્દ્રિયોના ક્ષણિક સુખમાં રાચે છે, તે ભવરોગી ભવાભિનંદી જીવો પોતે જ પોતાના દુશ્મન બને છે. કર્મવર્ગણા વગર આમંત્રણે જીવને વળગતી નથી. જીવનો દોષ એ છે તે સ્વને ભૂલી પરમાં સુખ શોધે છે. મૃગલા જેમ મૃગજળ પાછળ દોડીને પણ તરસ્યા જ રહે છે કારણકે તે જળ નથી પણ જળનો ચળકાટ જ છે. મૃગને એક મૃગજળ હોય છે. આ ભવાભિનંદી જીવને તો કેટલા મૃગજળ ? નવ બાહ્ય પરિગ્રહો અને ચૌદ અત્યંતર પરિગ્રહ, તે ઉપરાંત વિષય, કષાય, સંજ્ઞાબળ અનેક મૃગજળમાં સુખ શોધતો દુઃખી થાય છે. આમ જીવ ભ્રમિત થઈને ભટકે છે. - દુષમ પંચમકાળમાં તરવાના ધર્મસાધન મળવા છતાં ભવાભિનંદી જીવો હ૨ણા જેમ શ્રવણના સુખ માટે મીઠા સૂરમાં લલચાઈ શિકારીથી ફસાય છે, તેને કોઈ છોડાવી શક્યું નથી. દુઃખની પરંપરા સર્જાય છે. મૃગલા કે હરણા પાસે માનવ જેવી વિચારશક્તિ નથી. માનવ પાસે અદ્ભૂત વિચાર શક્તિ છતાં વિષયોની જાળમાં ફસાય છે. આવી મોહજાળથી છૂટવા સંતોનો સમાગમ અને સત્શાસ્ત્ર શ્રવણ દ્વારા આત્મબોધ એ ઉપાય છે. વેદ્યસંવેદ્યપદ પાંચમી દૃષ્ટિમાં હોય છે. પરંતુ ચોથી દીપ્રાદેષ્ટિવાળા જીવનું મિથ્યાત્વ ઘણું મંદ પડી જવાથી તે આ પદની નજીક આવતો જાય છે. જો કે હજી મિથ્યાત્વની હાજરી હોવાથી પડવાના અનેક સ્થાનો છે. છતાં યોગદૃષ્ટિને કારણે અવેધસંવેદ્ય-મિથ્યાત્વને દૂર કરવું સરળ થાય છે. પરંતુ ચોથી દૃષ્ટિ સુધી વેદ્યસંવેદ્યની પ્રાપ્તિ થતી નથી. જેમ ચોમાસાની વર્ષાઋતુને બદલે ગ્રીષ્મઋતુમાં બીજ વાવવાથી બળી જાય છે. વળી સડી યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૩૨ For Private & Personal Use Only દીપ્રાદેષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy