SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તે રાગાદિ કર્તા માને છે. વેધસંવેદ્યપદ = વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણનાર અનુભવનાર. તે પદ પાંચમી દૃષ્ટિમાં હોય છે. તેનું પ્રથમની ચાર દૃષ્ટિમાં અવેધસંવેદ્યપદ ઘણું પ્રબળ હોય છે. એટલે વસ્તુના સ્વરૂપને વિપરીત જાણે છે, તેથી સૂક્ષ્મબોધ થતો નથી. વેધસંવેદ્યપદવાળો મોક્ષમાર્ગે શીઘ્રતાથી જાય છે. આ પદનો તફાવત સમજાવવા આ દૃષ્ટિમાં તેનું નિરૂપણ કર્યું છે. ઉત્તરોત્તર દૃષ્ટિમાં મિથ્યાત્વ મંદ થતું જાય છે. તેથી ગ્રંથિદેશ સુધી (રાગદ્વેષની ગ્રંથિ મોળી પડે છે) આવે છે પણ દર્શનમોહનીયનો ઉદય બળવાન થવાથી જીવ નિવીર્ય થઈ પાછો પડે છે. આ ચાર દૃષ્ટિઓનો વિવેક વિષમિશ્રિત અમૃતભોજન જેવો છે. આથી આ ચારર્દષ્ટિઓનો વિકાસ પ્રતિપાતી દોષવાળો છે, પતનના સંભવવાળો છે. જો ગ્રંથિદેશ પછી જીવનું સામર્થ્ય ટકે તો આગળ વધે છે. પતન થાય તો પ્રથમની બે દૃષ્ટિવાળો અવિવેકને કારણે નરકગતિ યોગ્ય પાપકર્મ બાંધે છે. અને ત્રીજી ચોથી દૃષ્ટિવાળાને આ અવિવેક તિર્યંચ ગતિ યોગ્ય પાપકર્મ બંધાવે છે. યોગમાર્ગે ચઢેલા આ જીવો અપુનબંધકદશાને પામે તો એક પુદગલપરાવર્ત અને જિનાજ્ઞાયુક્ત સમ્યક્ત્વ પામેલાનો અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ શેષ રહે છે. વળી એથી આગળ વધી આરાધકભાવને પામેલા જીવો તો અલ્પકાળમાં મોક્ષ પામે છે. શાસ્ત્રકારે સુંદર દૃષ્ટાંત આપ્યું છે. કે જેમ અંધકારથી ભરેલા ઓરડામાં મૂકેલો દીવો ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે. તેથી ત્યાં રહેલી તમામ વસ્તુઓનું સ્પષ્ટ દર્શન થાય છે. જિનવાણી, જૈનશાસ્ત્રોરૂપી દીપક અજ્ઞાન અને મોહરૂપી અંધકારથી ભરેલા આ લોકમાં સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન કરાવે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ શું ? તેને આવરણ કરનારા ક્લિષ્ટકર્મોનું સ્વરૂપ શું ? તે કર્મોદ્વારા જીવો નરક નિગોદના કેવા દુઃખો પામે છે ? વળી તેનાથી મુક્ત થવાના ઉપાય પણ બતાવ્યા છે. આવા પંચમ દુઃષમકાળમાં આવી પરમોત્કૃષ્ટ જિનવાણીનો યોગ મળવો દુર્લભ છે. છતાં તે કંઈક સુલભતાથી મળ્યો છે. તે સૂક્ષ્મબોધવાળા જીવોને સમજાય છે. પુનઃ વેદ્યસંવેદ્યપદનું માહાત્મ્ય બતાવે છે. સૂક્ષ્મબોધ સહિતના આ પદમાં જીવના પરિણામ વિવેકયુક્ત હોય છે. તે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન કે પરિગ્રહની મૂર્છા અર્થાત અઢાર પાપસ્થાનકોનું પ્રાયે સેવન કરતો નથી. સંસારમાં છે ત્યારે તેને કોઈ પ્રવૃત્તિ કરવી પડે તો તે દરેક કાર્યો કંપતા હૃદયે કરે છે. તેને દૃષ્ટાંતથી સમજાવે છે કે તપેલા લોઢાના ગોળા પર જાણીને પગ મૂકતો નથી. પરંતુ જયારે અનિવાર્ય બને ત્યારે પરવશતાથી યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૩૧ દીપ્રાદષ્ટિ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy