SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણમે છે. જે જીવને સંસારથી તારનારો બને છે. કર્મરૂપી વજ્રનો વિશેષ નાશ કરનાર શાસ્ત્રકાર સાધકને આગળની ભૂમિકા દર્શાવે છે. મોહનીય કર્મની, રાગદ્વેષની દુર્ભેદગ્રંથિ, અર્થાત વજતુલ્ય ગ્રંથિને ભેદે છે તોડે છે. કે જે પુનઃ જીવનું પતન કરી શકતી નથી. તેથી તે સૂક્ષ્મબોધ કહેવાય છે. એક મોટા વૃક્ષના થડમાં કઠણ મોટી ગાંઠ છે. સુથાર તીક્ષ્ણ હથિયાર વડે તેને તોડવા મથે છે. પણ તે જલ્દી ભેદાતી નથી. જીવ ઘણીવાર પાછો પડે છે. પણ વધુ બળવાન તીક્ષ્ણ હથિયાર વડે વધુ બળ વાપરી મહામહેનતે તે ગાંઠને તોડે છે. તેમ સૂક્ષ્મબોધ યુક્ત જીવ તે બોધની સૂક્ષ્મતા-નિર્મળતા વડે રાગદ્વેષની દુર્ભેદ ગ્રંથિને તોડે છે જે સંસારને તારનાર બને છે. ‘‘જીવ બંધ બન્ને નિયત, નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી વડે છેદતા, બન્ને જુદા પડી જાય છે.'' અધ્યાત્મ પદ શેય : જાણવા લાયક સમસ્ત પદાર્થોનું જ્ઞાન સંપૂર્ણપણે થાય છે. શેય પદાર્થો અનંત ધર્માત્મક છે. તેવો સૂક્ષ્મબોધ હોવાથી તે જીવ એકાંતનો આગ્રહ કરતો નથી. સમાધાન શોધે છે. જો કે જ્ઞાન થયું નથી, પરંતુ કેવળીના વચન પર પૂર્ણ શ્રદ્ધા છે, કેવળી પ્રત્યક્ષ અને પૂર્ણપણે જાણે છે. આ જીવ શ્રદ્ધા વડે પદાર્થોને યથાર્થ જાણે છે. બાળ, યુવા, વૃદ્ધાવસ્થા એ દેહની અવસ્થાઓ છે તેનું જ્ઞાન આત્માને થાય છે. આત્મા સ્થાયીતત્ત્વ છે. અવસ્થાઓ બદલાય છે. આવા બોધથી જીવ ક્રમિક વૈરાગ્ય પામે છે. વેધ બંધ શિવ હેતુ છે જી, સંવેદન તસ જાણ, નય નિક્ષેપે અતિ ભલુંજી, વેધસંવેધ પ્રમાણ. -આ. દે. સઝાય ઉ. શ્રી યશોવિજયજી વેધ = વેદવા અનુભવવા યોગ્ય, સંવેધ = સંવેદન થવું, અનુભવ થવો. યોગ્યતા. પદ = સ્થાન જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવી કે યથાર્થ અનુભવ કરવો તે વેધસંવેદ્યપદ. તેથી વિપરીતપણે જાણવું તે અવેધસંવેદ્યપદ છે. વેદ્યસંવેદ્યપદ પાંચમી દૃષ્ટિમાં હોય છે. અવેઘસંવેદ્યપદ પ્રથમની ચાર દૃષ્ટિમાં હોય છે. વ્યવહારથી અજ્ઞાનદશામાં પૌદ્ગલિક પદાર્થોનું નિમિત્ત પામી આત્મા વિભાવદશાને પામે છે એટલે કહેવાય રાગાદિને વેદે છે. સુખ દુઃખનો અનુભવ કરે છે. વાસ્તવમાં જ્ઞાન રાગાદિને જાણે છે. પરંતુ અજ્ઞાનદશામાં યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૩૦ Jain Education International For Private & Personal Use Only દીપ્રાદેષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy