SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકે હોય છે. જયાં અલ્પાંશે પણ પાપનો પ્રતિઘાત હોય છે. અર્થાત અંશે પણ વિરતિના - પાપપરિહારના પરિણામ હોય છે. જૈનશાસનની બધી ક્રિયાઓ આત્મકલ્યાણરૂપ છે પરંતુ તેનો જીવના પરિણામ સાથે અવિનાભાવી સંબંધ છે. અનાદર કે ભાવ શૂન્યતાવાળી ક્રિયા સંસાર વૃદ્ધિનું કારણ છે. ૩. ફલાવંચકપણું : મોક્ષમાર્ગ યોગદષ્ટિથી શરૂ થાય છે. અને તેનું અંતિમ ફળ મોક્ષ છે. આરાધકને મોક્ષની પ્રાપ્તિ કરાવે તેવું પરિણામ તે ફલાવંચકપણું-પરિણામની સફળતા. તેમાં ઉચ્ચ કોટિનો શુદ્ધભાવ જરૂરી છે તે અપ્રમત્તયોગીશ્વરોમાં હોય છે. એટલે મુખ્યપણે ફલાવંચકપણું આવી ઉચ્ચ અવસ્થા સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. હે ચેતન! આ મોક્ષમાર્ગ છે. અનાદિની ગ્રંથિઓ, ભ્રમણાઓ,મિથ્યાત્વ જેવા દૂષણો, પરભાવો, અશ્રદ્ધાન, અધર્મના આચરણો જેવા, પહાડોને તોડવાના છે. આ કંઈ પત્તાના મહેલ જેવી બાળરમત નથી, રેતીનું ઘર બાંધવા જેવું કાચું કામ નથી. અંતરમાં જામેલા મલિનતાના સ્તરોને તોડવાના છે. તેમાં આત્મજ્ઞાન, પ્રજ્ઞાછીણી જેવા અમોઘ સાધનો જરૂરી છે. હા, પણ નિરાશ થવાનું નથી. ખેદ કરવાનો નથી પણ શૂરવીર થઈને ઝૂક્વાનું છે. ભવિતવ્યતાના યોગે તું નિગોદથી નીકળ્યો, ચરમાવતમાં આવ્યો, દેવગુરુકૃપાએ અપુનર્બધક અવસ્થા, પછી ચરમયથાપ્રવૃત્તકરણમાં આવ્યો. સખ્યત્વ પામવા માટે હવે અપૂર્વ પુરૂષાર્થ માટે શૂરવીર થા. હે ચેતન ! વિચાર કર, નિરાશ ન થઈશ. ભોગદષ્ટિવાળા જીવોની દશા દુઃખદાયક છે. તે જીવો મોક્ષના નામથી મૂંઝાય છે. તેમને આત્મસુખ કે મોક્ષના સુખની ખબર નથી. ઓઘદૃષ્ટિવાળા ક્રમે કરીને ધર્મના વિવિધ પ્રકારોને સેવે છે, તપ, ત્યાગ કરે છે. આગમાદિનો અભ્યાસ કરે છે. સંસારત્યાગ કરે છે. નિરતિચાર ચારિત્ર પાળે છે. છતા સ્વરૂપમય સ્વસંવેદન ન હોવાથી સંસારની વૃદ્ધિ થતી રહે છે. આવી આરાધનાને બળે ઘણો પુણ્યબંધ કરે છે પરિણામે દેવલોકમાં દીર્ઘકાળ રહી સંસારવૃદ્ધિ કરે છે. શુદ્ધધર્મનું ફળ દેવલોક નથી પણ મોક્ષ છે. એ આગળની યોગદષ્ટિનું પરિણામ છે. શું એ મહાનુભાવોને સ્વર્ગના સુખ અને મોક્ષના સુખનો તફાવત ખબર નથી? આગમનો અભ્યાસ છતાં શું ભૂલ થાય છે? સંસારના સુખ દુઃખરૂપ છે તે માનતા હોવા છતાં તે માન્યતાથી નિવેડો આવતો નથી. પણ તે સુખો સ્વરૂપથી દુઃખરૂપ છે. આત્મસુખ જ સુખ છે તેવું સંવેદન યોગદષ્ટિ સમુચ્ચય ૧૯૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy