SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ થતું નથી તેથી પુણ્યરાશિ વૃદ્ધિ પામે છે પરિણામે સ્વર્ગે સિધાવે છે પણ મોક્ષ પામતા નથી. એ ઓઘદૃષ્ટિનું કંઈક પરિણામ છે તે જીવને મિથ્યાત્વ મૂંઝવે છે. ચરમ(છેલ્લું) યથાપ્રવૃત્ત¥ણ તે યોગાનુયોગ જીવના ભાવમલ અત્યંત ઘટવાથી આવી અવસ્થા આવે છે, તે જીવને આ ચરમયથાપ્રવૃત્તકરણથી વૈરાગ્યભાવનાની તીવ્રતા થાય છે. આથી જીવ આગળના અપૂર્વ પુરૂષાર્થ વડે ગ્રંથિભેદ કરી ઉપશમાદિ સમ્યકત્વને પ્રાપ્ત કરી અનાદિના સંસારનો સંક્ષેપ કરે છે. મુક્તિ માર્ગમાં આગળ વધે છે. ચરમયથાપ્રવૃત્તકરણ છતાં હજી મિથ્યાત્વ ગયું નથી. પરંતુ ભાવમલ ઘટવાથી ગુણવૃદ્ધિ થાય છે. જેને કારણે જીવ મુક્તિમાર્ગે પ્રયાણ કરી શકે તેવા શુભ નિમિત્તો મળતા જાય છે. મિથ્યાત્વ પ્રથમ ગુણસ્થાનક કહેવાય છે તેનો મર્મ એ છે કે ચરમાવર્ત, યોગાવંચક જેવા ગુણો વિકસ્યા હોય. મિત્રાદષ્ટિમાં જણાવ્યા છે તે ગુણો આવે ત્યારે મિથ્યાત્વ મોળુ પડે યોગદષ્ટિમાં પ્રવેશ થાય છે. અર્થાત આયુષ્ય સિવાયની સાતે કર્મોની સ્થિતિ એક કોડાકોડી સાગરમાં કંઈ ન્યુન થાય છે ત્યારે ગુણવૃદ્ધિ થાય છે. જો આવા ગુણો ન હોય તો તે જીવને અનાભોગિક જેવું ગાઢ મિથ્યાત્વ હોય છે. જે અનંત સંસારનું કારણ છે. ભાવમલનું અત્યંત ઘટવું અને ચરમાવર્ત વગરે દશા થવી તે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ગણાય છે. છતાં અલ્પાંશે પણ મુક્તિનો રાગ થાય ત્યારે યોગદષ્ટિનો પ્રારંભ થાય છે. મહાપુણ્યોદયે ચરમાવર્તમાં આવ્યો કે જીવનું ઉત્થાન થયું. ગુણો પ્રગટ થવા લાગ્યા. દુઃખી જીવો જુએ ને અત્યંત કરૂણા ઉપજે, કંઈ ઉપાય કરે ત્યારે તેને જંપ મળે. ગુણવાનોના સંપર્કમાં આવે ને હૃદયની ઉર્મિઓ જાગે, તેમનું બહુમાન કર્યા વગર રહી ન શકે. અને દેવગુરુ, લોકવ્યવહાર સર્વ સ્થાનોમાં ઔચિત્ય, સજ્જનતાપૂર્વકનું આચરણ, હૃદયના ભાવપૂર્વક કરે. જો જીવ સમીપ મુક્તિગામીની યોગ્યતાવાળો છે. તો ચરમયથાપ્રવૃત્તકરણને પામી તથાભવ્યત્વ પરિપાક થયે સમ્યકત્વ પામે છે. તેની વિશેષ વિચારણા અન્યત્ર આપી છે. મિથ્યાત્વના તીવ્ર ઉદયે મૂંઝાતો જીવ અનાદિકાળની મોહવશતાને કારણે ઈન્દ્રિયજનિત પૌલિક પદાર્થોની લાલસા, રાગ, અને દુઃખના કારણોથી ભયભીત હોય છે. આ જીવો સાંસારિક સુખની સામગ્રીના રાગી અને તેમાં વિન કરનારા કારણોથી દુઃખી હોય છે. તેઓ નિરંતર સંકલેશ પરિણામવાળા હોય છે. એ જીવોને ઓઘદૃષ્ટિ હોય છે. અનાદિકાલિન યોગદષ્ટિ સમુચ્ચય ૧૯૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy