SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિકાસક્રમ ઘણા પુણ્યોદયવાળો છે. સાધક યોગદૃષ્ટિ પ્રત્યે પ્રયાણ શરૂ કરે છે. ત્યારે તેવા યોગ મળી રહે છે. તે સ્વયં તેવા નિમિત્ત શોધી લે છે. યોગદૃષ્ટિ સ્વરૂપ-સ્વસંવેદન રૂપ છે. તે માટે પ્રારંભમાં સાધકને શુભ અવલંબનની શુભધારામાં રહેવાની આવશ્યકતા છે. પાત્રતા થતા શુદ્ધસ્વરૂપ પ્રત્યેની કેડી મળી રહે છે. અપુનબંધક દશાવાળો ક્રમશઃ વિકાસ પામતો, માર્ગાનુસારિતાના ગુણોને સેવતો સમક્તિની નજીક જાય છે. ત્યારે ચરમાવર્તની જેમ કરણઅધ્યવસાયમાં શુદ્ધિ થાય છે તે ચરમ યથાપ્રવૃત્તરણમાં આવે છે. આગળ જતાં ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. યોગીશ્રી આનંદઘનજી શ્રી સંભવનાથજીના સ્તવનમાં પ્રકાશે છે કે “ચરમાવર્તે હો ચરમકરણ તથારે ભવસ્થિતિ પરિપાક, દોષ ટળે દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.'' નદી-ઘોળ-પાષાણ ન્યાયે ભવસ્થિતિ પરિપાક થતાં સાતે કર્મની સ્થિતિ સાગર કોડાકોડી હીન અર્થાત્ ઘણી અલ્પ થવાથી તે જીવને મોક્ષની સાચી અભિલાષા થાય છે. પરપદાર્થોમાં સુખબુદ્ધિનો, મિથ્યાત્વનો દોષ શ્રદ્ધા અપેક્ષાએ ટળે છે. અને તેથી દૃષ્ટિમાં અજવાળું પ્રગટે છે. સાચા સુખનો અભિલાષ તેને બીજા યોગો મેળવી આપે છે, જેવા કે સદ્ગુરુજનોનો બોધ મળે. સન્દેવ, સુગુરુ અને તત્ત્વરૂપધર્મની સમજણ મળે તેનો ક્રમ આ પ્રમાણે છે. ૧. યોગાવંચકપણું : હવે આધ્યાત્મિક સુખરૂપ યોગ ગ્રહણ કરવા જેટલી તેનામાં વિશુદ્ધિ થઈ છે. યોગાવંચક મળેલા યોગની સફળતા અવંચક (સફળ) થાય છે. સુખાદિ પરિણામથી આત્મા છેતરાય નહિ. મોહનીય કર્મ ઉપશમ પામે છે. સદ્ગુરુ, શુશ્રુષા વગેરેનો યોગ થાય છે. સાધકજીવે પોતાની અંતરંગ દશાનું ઉપરના ભેદો વડે તારણ કાઢવું. ચરમાવર્તના લક્ષણથી જીવને તપાસવો. પ્રથમ સંસાર પ્રત્યેની સુખબુદ્ધિને ઉપશાંત કરવી. જેથી જીવ તત્ત્વનો બોધ ગ્રહણ કરી શકે છે. અનાદિના પરિભ્રમણ પછી સાધકને મહપુણ્યના યોગે આવો યોગ મળે છે. જે હવે રોકાતો નથી આગળ વધે છે. ૨. ક્રિયાવંચકપણું : ધર્મક્રિયા = શાસ્ત્રાનુસારી ગુરુવિનય વડે ભાવપૂર્વક ધર્મક્રિયા કરવી તેમાં ક્રિયાની સફળતા છે. ક્રિયાવંચકપણું જેમાં ભાવનાની શુભતા અને શુદ્ધતા અપેક્ષિત છે. આવી ધર્મક્રિયા ભાવશૂન્ય નથી. તે જાણે છે કે “તે ભક્તિ ફળતી નથી ભાવ શૂન્યાકારમાં,’ વાસ્તવમાં યોગાવંચકપણું ચોથા ગુણસ્થાને હોય છે, તેમ આ ક્રિયાવંચકપણું પાંચમે યોગષ્ટિ સમુચ્ચય Jain Education International ૧૯૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy