SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૨. સજનને પ્રિયજ હોય છે.”૫૧૧ રાજકન્યાનાં તે વચન સાંભળી પિપટે કહ્યું-“ખરી વાત, તારે તે પૂર્વ જન્મને પતિ ખરેખર નિર્ગુણ જ ગણાય અને તેથી તેના પરજ તું અત્યંત ઠેષ રાખે તે પણ રોગ્ય જ ગણાય. પરંતુ હે ભીરુ ! કદાચ કોઈ એક કાયર પુરુષ રણક્ષેત્રમાંથી નાસી ગયો તેથી બીજા કોઈ શરા સુભટને પણ રાજા શું સત્કાર કરતા નથી? ૫૧૩ તેમજ ધાર, કે કોઈ એક માર્ગમાં ચેર લેકેએ એક વટેમાર્ગુને લૂટયો તેથી બીજા કોઈ મનુષ્ય પોતાને કામ હોય તો પણ તે માર્ગમાં શું ન જ જવું?” પ૧૪ તે પછી પિપટનાં એ અભિપ્રાયગર્ભિત વાક્યો સાંભળીને રાજપુત્રી બોલી“હે પિપટ ! તારામાં ખરેખર સામાન્ય ગુણ નથી. ૧પ માટે તું મને કહે, તું કયા રાજાને, અથવા કયા રાજપુત્રને અથવા કઈ રાજરાણીને પ્રાણપ્રિય થઈ રહ્યો છે”? ૫૬ રાજકુમારીને એ પ્રશ્ન સાંભળી પિપટ પણ અત્યંત ઉત્સાહમાં આવી ગયો. તેણે કહ્યું કે, હે સુંદરિ ! જેનું નામ કાનને સુખ આપનારું હોઈને માંગલિક છે તે રાજકુમાર મારે સ્વામી છે. પ૧૭ પોપટે એમ કહ્યું એટલે રાજકુમારીએ પૂછ્યું –“ કયે રાજકુમાર?” ત્યારે પિપટ બોલ્યા–“રત્નપુર નામના નગરમાં નતમ નામના એક રાજા છે. તેને શંખ નામને શ્રેષ્ઠ કુમાર છે.૫૧૮ એ કુમાર સોમ છે–ચંદ્ર જેવો સૌમ્ય છે તો પણ દષા એટલે કેવળ રાત્રિમાંજ શોભાવાળે નથી પણ સર્વકાળ સુશોભિત છે; વળી તે સૂર છે-સૂર્ય જેવો પ્રતાપી છે, તો પણ બીજાઓને તપાવનારે-દુઃખ આપનાર નથી, તેમજ એ કુમાર ઈશ છે-ઈશ્વર-શંકર જેવો સમર્થ છે તે પણ વિરૂપ બેડેન નેત્રવાળો નથી, અર્થાત્ શંકર જે સમર્થ હોવા છતાં ત્રણ નેત્રવાળો નથી પણ બેજ નેત્રવાળો છે, અને તે વિષ્ણુ છે-વિષ્ણુ જેવો વિજયી છે તે પણ કોઈ મનુષ્યોને દુઃખ આપનારે નથી. ( ૯ર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy