SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રદાન વિષે શંખરાજ કથા. ત્યારે આવો વિલાપ કરવા લાગી. હે માતા ! હે પિતા ! હે મારા પ્રિયપતિ! મને અનાથને આ જંગલમાં મૂકીને તમે કેમ ગયા?પર તે પછી ટેળાંથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે અને સથવારાથી જુદી પડેલી સુંદરીની પેઠે હું પણ બરાબર ચાર દિવસ સુધી તે જંગલમાં નિરાધાર સ્થિતિએ મારા પતિની શોધમાં ભટકી. પ૦૩ પણ જ્યારે મારા પતિને મેં કયાંય ન જોયે ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે, જરૂર મારે પતિ મને છોડીને કાઈ બીજે સ્થળે ચાલ્યા ગયા છે. કેમ કે, પ્રથમ પણ તેણે મને એ પ્રમાણે કહ્યું હતું. ૫૦૪ આવો વિચાર કર્યા પછી કેાઈ પણ સ્થાનકે પહોંચવાને મનમાં સંકલ્પ કરી હું ત્યાંથી ચાલી. જે કે હું સુધાથી અત્યંત પીડાતી હતી તે પણ માત્ર પાંચ ગ્રાસ લઈને કોઈ એક ગામમાં હું પહોંચી ગઈ. ૫ ૫ ત્યાં ભિક્ષાને માટે હું ભટકતી હતી, તેવામાં એક અપાસરામાં કેટલીક સાધ્વીઓને મેં જોઈ એટલે તેઓની પાસે જઈ પ્રણામ કરી તેઓ પાસેથી ધર્મદેશના સાંભળી. ૫૦ તેને લીધે પ્રથમથી જ અત્યંત દુ:ખી અને વ્યાકુળ થયેલા મારા હૃદયમાં, વસ્ત્રમાં જેમ રંગ પેસી જાય તેમ, પુષ્કળ ધર્મરાગ દાખલ થયા. પ૦૦ મેં તે સાધ્વીઓ પાસે દીક્ષા પણ લીધી અને કેટલેક કાળ તેમનું સેવન કયું; પછી ત્યાં મરણ પામી હમણું અહીં રાજાને ત્યાં રતિસુંદરીરૂપે હું ઉત્પન્ન થઈ. ૫૦ ૮ મને અહીં યુવાવસ્થા પ્રાપ્ત થઈ. એક દિવસે રાજમહેલની બારીમાં હું ઉભી હતી તેવામાં રાજમાર્ગમાં જઈ રહેલી કેટલીક સાધ્વીઓ મારા જેવામાં આવી. પ૦૯તેઓને જોતાંજ મને મારા પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું અને મારા તે પૂર્વજન્મના પતિનું કપટ પણ યાદ આવ્યું, જેથી મને પુરુષો પર ઠેષ પ્રાપ્ત થયા. ૫૧° આ રીતે પુરુષોનું નિર્ગુણપણું જોઈને જ તેઓના તરફ ધિક્કાર હું દર્શાવું છું, નહિ કે ગુણોનો પણ હું ઠેષ કરું છું. કેમકે ગુણો તે ( ૧ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy