SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્રદાન વિષે શેખરાજ કથા. પ૧૯ વળી તે મુકુટ ધારણ કરતો હોવાથી કિરીટી નામ ધરાવે છે પણ તે કિરી—િઅર્જુન નથી, અત્યંત બળવાન હોઈને સર્વને આનંદ ઉપજાવે છે માટે રામ-બલરામના નામને ધારણ કરે છે, પણ હળના આયુધવાળો બલરામ નથી, અત્યંત ઐશ્વર્યવાળો હેઇને ઇન્દ્ર કહેવાય છે, પણ ઇન્દ્ર નથી; તે એને કેની ઉપમા આપીને વર્ણવી શકાય ? ૫૨૦ જેના સુંદર સ્વરૂપને જે પિતાના રૂપની તેની સાથે તુલના કરતાં કામદેવને વિરાગ્ય થઈ ગયો–પતાનું રૂપ તેના કરતાં ઉતરતું જણાયું તેથી આખા શરીર ઉપરજ કામદેવને વૈરાગ્ય થઈ ગયો અને તેજ દિવસથી આરંભી તેણે પિતાના શરીરનો ત્યાગ કરી “અનંગ” (શરીર વિનાનો) નામ ધારણ કર્યું. ૫૨૧ લક્ષ્મી ચપળ કહેવાય છે તે પણ એ રાજકુમારની મજબૂત તરવારની સાથે તેની શક્તિરૂપ. સાંકળથી જિતાઈને બંધાઈને નિરંતર (તે લક્ષ્મી) સ્થિર થઈ રહી છે. પર? તે સમુદ્ર જેવો ગંભીર છે, તેની યશકળા ક્ષીરસમુદ્ર જેવી ઉજજવળ છે અને તેનું બાહુબળ આખી પૃથ્વીના સારનો સમુદ્ધાર કરવામાં સમર્થ છે. ૫૨૩ વળી તે મોટે દાતા છે, સર્વ લેકમાં માન્ય છે, તેનાં સદ્દગુણો બીજા કોઇના ગુણોની સમાનતા કરતા નથી. તેનું શરીર સોંગે સુંદર છે અને ઘેર ઘેર સ્ત્રીઓના સમુદાય તેનું વર્ણન કરી રહ્યા છે. ૫૨૪ અરે! એટલું જ નહિ પણ જે કેાઈ એક સિદ્ધપુરુષની પેઠે સર્વત્ર જઈ શકે છે, વિચરી શકે છે તે મહાકુશળ શંખકુમાર મારે સ્વામી છે અને હું તેને અત્યંત પ્રિય છું.” ૫૨૫ તે સાંભળી રાજકુમારીએ પ્રેમપૂર્વક કહ્યું કે, હે પિપટ ! એ પ્રિય રાજકુમારને જણાવીને તું મારે પૂજ્ય બન્યું છે, તો કહે કે હું તેને કેવી રીતે જોઈ શકું? પ૨૬ ત્યારે પિપટે કહ્યું – “એ કુમાર સર્વાની પેઠે બીજા મનુષ્યના વિચારને જાણી લે છે અને સામા માણસની જે ઈચ્છા હોય તે વિદ્યાધરની પેઠે આકાશમાર્ગે તેની ( ૩ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy