SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અને તરત એ ધનને તેમના નામથી જ વાપરવું. ધર્મના ઉપકરણોને જ્યાં ત્યાં રખડતા મૂકવાથી શ્રાવકને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે. માટે ધર્મોપકરણને સાચવી રાખવું અને કામ પૂર્ણ થતાં જ સુયોગ્ય સ્થાને મૂકવું. + દેવદ્રવ્ય વગેરેની રક્ષાના કાર્યમાં શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનાર સાધુ પણ અનંત સંસારી બની જાય છે, માટે ઉપેક્ષા ન કરવી. પોતાના પ્રાણોની ન્યોછાવરી કરીને પણ શાસનની આશાતનાઓને રોકવી જોઈએ. + દેવદ્રવ્યની શાસ્ત્રોક્ત માર્ગોથી વૃદ્ધિ અને રક્ષા કરનાર પોતાનો સંસાર સીમિત કરે છે અને તીર્થકર પણ બને છે. જ્યારે દેવદ્રવ્યનું ભક્ષણ, નાશ અને ઉપેક્ષા કરનાર અનંત સંસારી પણ બને છે. અજ્ઞાનમાં પણ જો દેવદ્રવ્યનો ભોગવટો થયો હોય તો તરત ગીતાર્થ ગુરુભગવંતો પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. દેવદ્રવ્યનો જેમતેમ ઉપયોગ-ઉપભોગ કરવાવાળાં ગામો-શહેરો શોભારહિત, નિર્ધન, અભાગ્યવાન, વ્યાપારહીન અને તુચ્છ બની જાય છે. દેવદ્રવ્ય અને પરસ્ત્રીનો ભોગવટો કરનાર, સાત વાર સાતમી નરકે જાય છે, એમ પ્રભુ શ્રી મહાવીરે શ્રી ગૌતમસ્વામીજીને કહ્યું હતું. જેના ઘરમાં દેવદ્રવ્ય ભોગવાયું હોય, ત્યાંની કોઈ પણ વસ્તુશ્રાવકે પોતાના ભોગમાં ન લેવી જોઈએ. * તીર્થકરની આજ્ઞાનો ભંગ થઈ રહેલો જોવા છતાં જે માધ્યસ્થ બની ગૂંગા રહે છે, તે અવિધિની અનુમોદના કરવાવાળા છે. એથી તેમના વ્રતો-મહાવ્રતો લોપાઈ ગયેલાં છે, એમ સમજવું. + ધર્મની નિંદા કરનાર-કરાવનારને ભવાંતરમાં ધર્મ પ્રાપ્ત થતો નથી. ભાવના પોતાને મોક્ષ આપે છે, જ્યારે પ્રભાવના તો પોતાની સાથે બીજાને પણ મોક્ષ અપાવે. જૈનશાસનની પ્રભાવના કરનાર જીવ તીર્થકર બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - “-વિરારો થનો ' ધર્મ ગુરુની સાક્ષીમાં કરવાનો હોય છે. પરિશિષ્ટ-૩ દ્રવ્યસપ્તતિકાના આધારે કેટલીક સમજવા જેવી બાબતો ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy