SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયાનું દ્રવ્ય એકઠું થાય એટલે તરત તેની જરૂરિયાત મુજબ વાપરી નાંખવું જોઈએ. એના ઉપર મમતા કરી મૂકી રાખવું ન જોઈએ. આમ છતાં પણ કેટલીક પાંજરાપોળો આજે જરૂરિયાત હોવા છતાં અવગણીને F.D. કરવામાં જ મશગુલ છે. બાજુની પાંજરાપોળોમાં ઢોરો મરતાં હોય તો પણ પોતાને ત્યાંથી ત્યાં કશું આપતા નથી. જૈનસંઘની પેઢીમાં આવેલ જીવદયાની રકમ પણ પેઢીમાં રાખી ન મૂકતાં તરત જ પાંજરાપોળોમાં ફાળવી દેવી જોઈએ. જેથી તેઓ જરૂર મુજબ તેનો તરત જ ઉપયોગ કરી શકે. આજે બધે બેન્કિંગના વ્યવહાર થયા છે. ટ્રસ્ટીઓ મોટે ભાગે મનમાની કરે છે; કેટલાક ટ્રસ્ટીઓ તો ધર્મગુરુઓએ કહેલી વાતો પણ સાંભળવા તૈયાર નથી. પણ એમ ક૨વું બિલકુલ યોગ્ય નથી, એમ મારે ભારપૂર્વક કહેવું છે. સાધુઓની નિશ્રામાં જીવદયાનાં લાખો રૂપિયાનાં ફંડો એકઠાં થાય છે, તેને આ ટ્રસ્ટીઓ બેન્કોમાં મૂકી દે છે. બેન્કો જીવદયાના કામ માટે લોન આપતી નથી, પણ કતલખાનાં પોલ્ટ્રી, રેબિટ ફાર્મ જેવા હિંસક કાર્યોમાં ઓછામાં ઓછા વ્યાજે નાણાં આપે છે. એક બાજુ જીવદયાના ફંડમાંથી જીવો કપાય છે, એની આવકમાંથી તમને વ્યાજ મળે છે અને એથી જીવ બચાવાય છે. આ રીતે વિષચક્ર ચાલુ છે. આ રીતે કાયમી ભંડોળો ભેગાં કરવા કરતાં વર્ષે વર્ષે સંઘ પાસે જઈ પોતાનો હિસાબ ૨જૂ કરી જોઈતાં નાણાં ઊભાં ક૨વાનો રિવાજ અપનાવવો જોઈએ. બાકી જે ક૨વું પડે તે આપદ્ધર્મ સમજીને કરવું. પરંતુ એ નિમિત્તને આગળ કરી કોઈ પણ સારું કાર્ય થતું બંધ ન થવું જોઈએ. પરિસ્થિતિવશ જે ખોટું કરવું પડે તેમાં હું કે અમે બરાબર કરીએ છીએ. એવું ક્યારેય માનવા-મનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, પણ પોતાની પરિસ્થિતિવશ જે લાચારી છે,તેનું ધ્યાન રહેવું જોઈએ અને પરિસ્થિતિ સુધરતાં જ સાચા રસ્તે આવી જવું જોઈએ. ખરું કહું તો આજ્ઞા પ્રત્યેના આદરવાળા, સમજ અને સામર્થ્યવાળા થોડા उपसगों का संसर्ग होने पर भी दृढतापूर्वक ग्रहण किए गये व्रतों के पालन मे तत्पर रहनेवाले कामदेव आदि महाश्रावक धन्य हैं। वे तीर्थंकरों के लिए भी प्रशंसनीय हैं । - योगशास्त्र - Jain Education International પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy