SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. માત્ર બાદશાહ સાથે ગુજરાતની મૈત્રી ઈચ્છી. બાદશાહે કહ્યું, ‘મૈત્રી તો માન્ય છે જ પણ મારા સંતોષ ખાતર કાંઈક માગ,’ ત્યારે વસ્તુપાળે શું માંગ્યું ? ભગવાન શ્રી યુગાદિનાથ વગેરેની પ્રતિમા બનાવવા માટે મમ્માણી ખાણમાંથી પાષાણખંડ માગ્યા. બાદશાહે આપવાની વ્યવસ્થા કરી. મુસલમાનોના રાજમાં પ્રતિમા તૂટતી, નવી પ્રતિમા માટે પાષાણ નહતો મળતો. એવી પરિસ્થિતિમાં પાષાણ મેળવવા માટે વસ્તુપાળે આ કેવો ઉપાય કર્યો ! આવી બુદ્ધિ હોય તો બધું જ કરવાનો અધિકાર છે. આજે તો તમારા ઘરોમાંય આરસ આવી ગયા. સંડાસ પણ માર્બલમાંથી બનવા લાગ્યાં. એક જમાનામાં ઠરાવ કરાયો હતો કે જિનમંદિર સિવાય ક્યાંય આરસ વા૫૨વાનો નહિ. કારણ કે વિષમ સંયોગોના કારણે એ કાળમાં આરસ મળવો દુર્લભ હતો. જેટલા પણ દીન, દુઃખી, નિર્ધન, અપંગ, આંધળા, બહેરા, લૂલા, પંગુ, કોઢી, રોગી, પરિવારરહિત વગેરે છે એ બધાને મદદ ક૨વી વગેરે જે કાંઈ દયા-અનુકંપાનાં કાર્યો કરવાનાં છે. તે (૧) હૃદયના કરુણાના ભાવોને જીવંત રાખવા અને (૨) તે તે જીવોના હૃદયમાં જૈનધર્મ પ્રત્યેનો આદર-બહુમાનભાવ પેદા કરવા માટે કરવાનાં છે, જેનાથી જન્માંતરમાં પણ એ લોકો જૈનધર્મ પામે. આવાં કાર્યો શાસ્ત્ર બતાવેલી વિધિ-મર્યાદા મુજબ જો કરાય તો અનેક લોકોના હૈયામાં બોધિબીજનું વાવેતર થાય. અનુકંપા ખાતાનું દ્રવ્ય જરૂર પડે તો જીવદયામાં વાપરી શકાય, પરંતુ જીવદયાખાતાનું દ્રવ્ય અનુકંપામાં ક્યારેય ન વાપરી શકાય. કારણ કે અનુકંપાપાત્ર જીવો તો હજુય પોતાનું કાંઈક કરી શકે એવા છે. માગીનેય મેળવી શકે કે બોલીને પણ જણાવી શકે એવા છે; જ્યારે દયાપાત્ર એવાં મૂંગાં ઢોરો તો કશું કરી શકતાં નથી. એમની આપત્તિનું નિવારણ શક્તિસંપન્ન દયાળુ જીવો જ કરી શકે છે. તેથી જીવદયા ખાતાનું દ્રવ્ય કોઈ પણ સંયોગમાં અનુકંપામાં વાપરી શકાય નહિ, આ મર્યાદા છે. ૧૮૬ संसर्गेऽप्युपसर्गाणां दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः श्लाघ्यास्तीर्थकृतामपि । જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only - योगशास्त्र www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy