SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ માણસો આગેવાની લઈને આજના ટ્રસ્ટ એક્ટ સામે કોર્ટમાં ધા નાખે, એને રદ કરાવીને જ જંપે તો ઘણો લાભ થાય. જે વખતે આ ટ્રસ્ટ એક્ટ અમુક રાજ્યોમાં દાખલ થવાનો હતો, ત્યારે બધા જૈનાચાર્યોએ મળીને એની સામે અવાજ ઉઠાવેલો, કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ જૈન સંઘના તે સમયના કેટલાક આગેવાનોએ જઈને એનો સ્વીકાર કરી લીધો. આજે પણ કેટલાંક રાજ્યોમાં ટ્રસ્ટ એક્ટ નથી. સક્ષમ વ્યક્તિઓએ એને ઉઠાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ તો જ ધર્મશાસ્ત્રનાં માર્ગદર્શક વચનોઆજ્ઞાઓ અનુસાર તમે ધાર્મિક દ્રવ્યનો સુવ્યવસ્થિત વહીવટ અને વિનિયોગ કરી શકશો. બધાં જ ટ્રસ્ટો ધર્માચાર્યોને આધીન હોવાં જોઈએ, શ્રમણસંઘને આધીન હોવાં જોઈએ, જેથી જે પણ ધર્મ કે શાસ્ત્રવિરુદ્ધ કરે તેને દૂર કરી શકાય. પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે, તમે બધી માલિકી ચેરિટી કમિશ્નરને સોંપી દીધી છે - તમે એમની કઠપૂતળીની જેમ વર્તો છો. આજના વહીવટદારો સીધા ચેરિટી કમિશ્નર સાથે સંકળાયેલા છે. એમને ધર્મગુરુઓ સાથે કોઈ લેવાદેવા ન રહી. એટલે આજે ધર્મક્ષેત્રો કે ધર્મદ્રવ્યના વહીવટી મુદ્દે પણ ધર્માચાર્યોના હાથમાં સીધી કશી જ સત્તા ન રહી. સભા : એ માટે બધા આચાર્યોનું સંગઠન થવું જરૂરી નથી લાગતું? માત્ર એ માટે જ નહિ, સમગ્ર શાસનની પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો પણ આચાર્ય ભગવંતોનું સંગઠન થાય તે બહુ જ જરૂરી છે. સભા : આ માટે આપ લીડ લો તો જરૂર કામ થાય! તમારી ભાવના બરાબર છે, પણ પરિસ્થિતિ તમે માનો એટલી સરળ નથી. સભાઃ એ માટે અમે બધાને ભેગા કરવાનો પ્રયત્ન કરીએ તો આપ સાથ આપશો ? जिनो देवः कृपा धर्मो गुरवो यत्र साधकः । श्रावकत्वाय कस्तस्मै न श्लाघेताविमूढधीः ? ।। ૧૮૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy