SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમંદિરના જીર્ણોદ્ધાર નવનિર્માણમાં લઈ જાઓ. સાચું શું? ખોટું શું? એ હજી તમે-અમે કદાચ જાણતા નથી. કદાચ જ્ઞાનીની દષ્ટિએ ઉપરના ખાતામાં જ જતું હોય તો તો બંનેમાં ઉપરનું ખાતું તો જિનમંદિરનો જીર્ણોદ્ધારનવનિર્માણ જ છે. એમાં લઈ જાઓ તો કોઈ દોષની સંભાવના જ નથી અને જ્ઞાનની દૃષ્ટિએ ઉપરના ખાતામાં જ જતું હોય અને તમે વૈયાવચ્ચમાં લઈ જાઓ તો એમાં દોષની સંભાવના છે. એ દૃષ્ટિથી વિચાર કરીએ તોય વૈયાવચ્ચમાં લઈ જવું એ યોગ્ય નથી – એમ તમને પણ જણાશે. જ્યાં સુધી તમને એ બાબતમાં શંકા છે, હજુ નિશ્ચય થયો નથી ત્યાં સુધી બેમાં ઊંચા ખાતે લઈ જવું હિતાવહ છે. દાખલા તરીકે અમે ક્યાંક ગોચરીએ જઈએ ત્યારે કોઈ બાબતમાં અમને નિર્દોષ છે કે સદોષ છે' - એનો સંદેહ પડે તો ત્યારે શું કરવું? એ મૂંઝવણનું નિરાકરણ કરતાં જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, કદાચ એ નિર્દોષ પણ હોય તોપણ જ્યાં સુધી તમારી શંકાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી એ શંકાવાળું દ્રવ્ય તમારે ન લેવું. જ્યારે તમને પાકી ખાતરી થાય કે એ દ્રવ્ય નિર્દોષ જ છે પછી એને લેવામાં વાંધો નથી. એ જ ન્યાય અહીં લગાડવાનો છે. શ્રાવક-શ્રાવિકા સાધર્મિક ભક્તિ : હવે રહી શ્રાવક-શ્રાવિકાક્ષેત્રની વાત ? આજે આ ક્ષેત્રની બાબતમાં બે પ્રકારની વાતો ચાલતી જોવા મળે છે. એક વર્ગ કહે છે કે, પૂજા-પૂજનો, પ્રતિષ્ઠા, મહોત્સવો, ઉજમણાં-ઉપધાન જેવાં અનુષ્ઠાનો બંધ કરો. આ બધો ધનનો ધૂમાડો છે. એના બદલે સાધર્મિકોના ઉત્થાન માટે કાંઈક કરો. સાધર્મિકો નહિ હોય તો આ બધાં ધર્મસ્થાનોને કે ધર્મને કોણ ટકાવશે ?એની સામે બીજો એક એવો વર્ગ છે કે, જેમનું કૃત્ય એ લોકોની વાતોને આડકતરી રીતે પણ ટેકો આપે છે. એ વર્ગ એવો છે કે, જે અનેક પ્રકારનાં ધર્મનાં કામો કરશે, પણ સાધર્મિકભક્તિ-અનુકંપા-જીવદયામાં ફૂટી કોડી પણ આ રસ છે ના કરતા કરતા છે : આ न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । न चान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्तीह जिनस्य वाक्यम् ।। અ - યોગારાગીર ટીકા ૧૭૬ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy