SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ખરચે. ૫૦ લાખમાં નવકારશીનો ચડાવો લેનાર કહેવાતો ધર્માત્મા પણ એ જ જમણમાં એકાદ સામાન્ય પરિસ્થિતિનો સાધર્મિક આવી જાય અને એને ખરેખરી જરૂરીયાત હોય તો ૧૦૦૦૦ (દસ હજાર) રૂપિયા જેટલી પણ ભક્તિ નહિ કરે. આવા લોકોની આવી વૃત્તિ-પ્રવૃત્તિ ધર્મ અને ધર્માનુષ્ઠાનોને વગોવનાર બને છે. જ્ઞાની કહે છે કે, પોતાની શક્તિ હોવા છતાં જે સાધર્મિકનો ઉદ્ધાર કરતો નથી, તે વાસ્તવિક અર્થમાં ધર્માત્મા જનથી. જેની ભક્તિ ક૨વાની હોય એને માટે આજે અમને કેટલાક લોકો પૂછે કે, ‘સાહેબ, એ રાત્રે ખાય છે, એને સાધર્મિક કહી શકાય ?' મારે એમને પૂછવું છે કે, તમે ‘સાધર્મિકવાત્સલ્યમાં જમવા જાઓ છો ?' તમે ક્યારેય રાત્રે ખાધું નથી કે ખાતા નથી ને ? તમારા ઘરમાંય કોઈ રાત્રે ખાતું નથી ને ? કહી દો ને કે ‘અમે રાત્રે ખાઈએ છીએ, માટે સાચા અર્થમાં સાધર્મિક નથી, અને માટે તમારા દ્વારા આયોજિત સાધર્મિકવાત્સલ્યમાં અમે જમવા આવી શકીએ તેમ નથી !’ જે ભગવાન અને ભગવાનની આજ્ઞા પ્રત્યે હૃદયથી સાચો બહુમાનભાવ ધરાવતો હોય, તે તમારો સાધર્મિક છે. ભલે કદાચ એ પોતાના સંયોગ-શક્તિઅશક્તિ-લાલસા આદિ વશ એ બધી પ્રવૃત્તિ આજ્ઞાનુસાર કરી શકતો ન હોય; આમ છતાં એ પોતાના પ્રમાદનો કે નબળાઈઓનો બચાવ ક્યારેય ન કરતો હોય. ભગવંતની આજ્ઞા એણે જે રીતે આરાધવી-પાળવી જોઈએ તે રીતે એ ન આરાધી – ન પાળી શકતો હોય એનું એને દુઃખ હોય, એમાં એ પોતાની કમનસીબી માનતો હોય, સુધારવા પ્રયત્ન કરતો હોય, તો મને કહેવા દો કે એ પણ તમારો સાધર્મિક જ છે. આજે તો સાધર્મિકભક્તિના નામે ટુકડા નંખાય છે, કેટલીક જગ્યાએ તો સાધર્મિકની ફજેતી થાય એવા વ્યવહાર પણ કરાય છે. સાધર્મિકને સામેથી મદદ લેવા આવવાનું મન હોતું નથી, પણ કેટલીકવાર કોઈ એવી પરિસ્થિતિને વશ जो लोग यहाँ जिनवाणी का लेखन करवाते हैं वे लोग न तो दुर्गति को प्राप्त करते हैं, न गूंगे बनते हैं, नही मूर्ख बनते हैं और न तो अन्धत्व या बुद्धिहीनता को पाते हैं । - योगशास्त्रीयटीका Jain Education International પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy