SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને હાઈવે પર મંદિરોમાં પધરાવવાનું પણ ચાલુ થયું છે. એથી સાધુઓ ગામમાં જતા અટક્યા છે. એમનો ગામના જૈન-અજૈનો સાથેનો નાતો-સંબંધ તૂટ્યો છે, એને કારણે પણ સંયમજીવનને ઘણી હાનિ પહોંચે છે. એ ગામોમાં, જ્યાં જૈનો નથી ત્યાં અજૈનો સાધુ-સાધ્વીજીની ખૂબ ભક્તિ કરે છે. ઘણી વા૨ તો જૈનો કરતાં એમની ભક્તિ ચડી જાય. સાધુ-સાધ્વીજી જાય તો ઉતારો આપે, ગામવાળા સાધુ-સાધ્વીજીને મળવા આવે, સાધુ-સાધ્વીજીની જીવનચર્યા જુએ, સાધુ-સાધ્વીજીને કહે, ‘મહારાજજી, શું લેશો ?' સાધુસાધ્વીજી કહે કે, ‘રાત્રે અમારે કશું ન ચાલે.’ ‘દૂધ તો લો,’ ‘દૂધ પણ ન ચાલે.’ ‘તો પાણી લો. આટલી ગરમી છે મહારાજ, પાણી તો લો.’ સાધુ-સાધ્વીજી કહે કે, ‘અમારે રાત્રે પાણી પણ ન ચાલે. દિવસે પાણી લઈએ તે પણ ચા જેવું ઊકળી ઠંડું થયેલ હોય તે.’ આ બધું સાંભળીને એ લોકોને ખૂબ આદરભાવ વધી જાય. પછી ગામવાળાને ભેગા કરી અમારી-સાધુની પાસે લઈ આવે. અમે એમને ધર્મકથા કહીએ. એમાં અહિંસા, સત્ય, સદાચાર આદિની વાતો કરીએ. સાધુનો આચાર કહીએ. સવારે ઊઠીને જઈએ તે પહેલાં પણ એ લોકો ચા-પાણીનું પૂછે, અમે ના કહીએ. એ લોકો ખૂબ પ્રભાવિત થાય. બોધિબીજ પામી જાય : આ હતો સાધુ-સાધ્વીજીના ગ્રામવિહારનો ફાયદો. હાઈવે ઉપર દેરાસરો બનવાથી ગ્રામ સાથેનો સાધુ-સાધ્વીજીનો એ સંપર્ક તૂટ્યો. એ લોકો બોધિબીજથી વંચિત રહ્યા. વળી આજે સાધુઓનું જેટલું ધ્યાન રખાય છે, તેટલું કદાચ સાધ્વીજી ભગવંતોનું ધ્યાન રાખવામાં આવતું નથી. આવી કપરી પરિસ્થિતિમાંય વર્તમાનમાં સાધ્વીજી ભગવંતો જે રીતે ચારિત્ર પાળે છે, તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમની ભક્તિ સવિશેષ થવી જોઈએ. એમને વિહારમાં પૂરતું રક્ષણ આપવું જોઈએ. સાધુ-સાધ્વીજીનું સંયમજીવનનિર્મળ-નિષ્કલંક બન્યું રહે, એ માટે શ્રાવકસંઘનો સાથ-સહકાર પણ એટલો જ અપેક્ષિત છે. એક હાથે તાળી વાગતી नए जिनमंदिर के निर्माण से जो फल मिलता है, उससे आठ गुना पुण्य जीर्णमंदिर के उद्धार से मिलता है । Jain Education International પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy