SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આજે સાધુ-સાધ્વી પાસે સંસારીઓ શા માટે આવે છે ? કોઈક આશા લઈને આવે છે. મંત્ર-તંત્ર, દોરા-ધાગા, વાસક્ષેપ-રક્ષાપોટલી, યંત્ર-મૂર્તિ, માદળિયું-શંખ કાંઈને કાંઈ મહા૨ાજ આપશે અને આપણું કામ થઈ જશે, – એમ માની સાધુ-સાધ્વીજી પાસે આવનારાની સંખ્યા વધી છે. ઘણે સ્થાને સંક્રાંતિ, પુષ્યનક્ષત્ર અને બેસતા મહિનાનાં માંગલિકો શરૂ થયાં છે. કેટલાક સાધુઓ તો હવે દેવ-દેવીઓનાં પૂજનો અને આગળ વધીને હોમ-હવનો ક૨ાવતા થયા છે, આ બધું જ અનિષ્ટ છે. શ્રમણજીવન માટે ઘાતક છે. આમાં ક્યાંય સાધુપણું રહેતું નથી, શિથિલાચાર વ્યાપક બને છે અને પછી સાધુ-સાધ્વીનાં નામ છાપે ચડે ત્યારે તમે લોકો જ બૂમરાણ મચાવો છો. આજે સાધુ-સાધ્વીને ધર્મપ્રચારના નામે આધુનિક સાધનોનો ઉપયોગ ક૨વા માટે પ્રેરિત ક૨વામાં આવે છે. શાસનપ્રભાવનાના નામે પ્રસિદ્ધિ-નામનાની ભૂખ એવી રીતે બહેકાવવામાં આવે છે કે એમાં સારા-સારા સાધુ-સાધ્વીજી પણ સપડાઈ જાય છે. વળી પરદેશ જવાની પણ લાલચો આપવામાં આવે છે. ઘણા પરદેશ ગયા, જઈને આવ્યા. ઓઘો રહી ગયો, સાધુપણું ક્યારનું ખલાસ થઈ ગયું. મજેથી આજે મોટો-વિમાનોમાં ફરે છે,વિજાતીય તત્ત્વો જોડે હસ્તધૂનન કરે છે,તેમની સાથે એક સીટ પર બેસે છે. ઠંડા પીણાથી લઈ કેટકેટલી ચીજોનો ઉપભોગ કરે છે. ગયા હતા બીજાને પમાડવાના નામે ને પોતે પોતાનું જે થોડુંઘણુંય સંયમ હતું તે ખોઈ બેઠા. આ હાલત થાય છે. તમે સમજો તો સંઘના આગેવાનની રૂએ તમારી ઘણી જવાબદારી છે. શ્રમણ-શ્રમણીસંઘની તમારે જેમ ભક્તિ કરવાની છે, તેમ તે જો ઊંધે માર્ગે દોરાયાં હોય તો તેને વિવેકપૂર્વક બધા જ ઉપાય કરીને માર્ગમાં પાછા લાવવાની જવાબદારી પણ તમારા શિરે મુકાયેલી જ છે. હવે કરીએ સાધુ-સાધ્વી વૈયાવચ્ચના દ્રવ્યની વાત : આ દ્રવ્ય બે રીતે આવે છે : ૧ - કોઈ વ્યક્તિ સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે સંઘની પેઢીમાં ૨કમ જમા કરાવી જાય તે અને ૨ - દીક્ષા સમયે દીક્ષાર્થીને ‘કરેમિ ભંતે’ની પ્રતિજ્ઞાનું न धमकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकज्जं । न पेमरागा परमत्थि बंधं, न बोहिलाभा परमत्थि लाभो ।। - गौतमकुलक ૧૭૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy