SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ બેચરદાસ પારેખ પાસે અનુવાદ કરાવી અનેક ટીપ્પણીઓ, પરિશિષ્ટો સાથે સંસ્કૃત-ગુજરાતીમાં આ ગ્રંથ છપાવાયો છે, જેનું સંપાદન સાગરજી મહારાજના સમુદાયના મુનિશ્રી નિરુપમસાગરજી મહારાજે કરેલું છે. એમાં આગળના ભાગમાં સંસ્કૃત અને પાછળના ભાગમાં ગુજરાતી અનુવાદ હતો. તે મેળવવો અઘરો પડતો હોઈ મેં એનું ફરીથી સંપાદન કરી સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ સામસામે મળી રહે, કોઈને પણ મેળવવું હોય, મૂળ જોવું હોય તો સુગમતા રહે એ રીતે ગોઠવી, પ્રકાશિત કરાવેલ છે. એમાં મારા મનની કશી વાત નથી. તમે મૂળ ગ્રંથ સાથે એના ગુજરાતી ભાષાંતરને સરખાવીને વાંચી શકો છો અને એની સચ્ચાઈનો નિર્ણય તમે તમારી રીતે પણ કરી શકો છો. એક સામાન્ય નિયમ એવો છે કે, જે ખાતાનું જે દ્રવ્ય હોય તે દ્રવ્ય તે ખાતામાં જ જાય. એટલે જિનમૂર્તિનું દ્રવ્ય જિનમૂર્તિમાં, જિનમંદિરનું દ્રવ્ય જિનમંદિરમાં, જ્ઞાનનું દ્રવ્ય જ્ઞાનમાં જાય. એ જ ન્યાયે ગુરુનું દ્રવ્ય પણ ગુરૂખાતામાં જ જવું જોઈએ; પણ તેમ ન કરતાં એ ગુરુદ્રવ્યને ઉપરના ખાતામાં લઈ જવાનું વિધાન કેમ કરાયું? વળી પરિગ્રહનો નિયમ (મહાવ્રત) હોવાથી સાધુનું તો કોઈ દ્રવ્ય હોય નહિ, તો ગુરુદ્રવ્ય ક્યાંથી હોઈ શકે ? આવી શંકાનો શાસ્ત્રકારોએ જવાબ આપ્યો છે. ધર્મસંગ્રહ ગ્રંથમાં બે પ્રકારનાં ગુરુદ્રવ્ય બતાવ્યાં છે : ૧ - ભોગાઈ ગુરુદ્રવ્ય, ૨ - પૂજાઈ ગુરુદ્રવ્ય. ૧ – ભોગાઈ ગુરુદ્રવ્ય : ગુરૂના ભોગ-ઉપભોગમાં આવતાં દ્રવ્યો જેવાં કે, કાંબળી, કપડાં, પાત્રો આદિ. એનો ઉપયોગ સાધુઓ કરી શકે છે. માટે એવાં દ્રવ્યોને સાધુ પોતે રાખી શકે છે. ૨ - પૂજાઈ ગુરુદ્રવ્ય : જ્યારે સાધુઓની અંગપૂજા-અગ્રપૂજારૂપે ચડાવેલ સુવર્ણાદિ ધન સાધુઓ પોતે રાખી શકતા નથી એ કારણથી કે એ અપેક્ષાથી એ ગુરુદ્રવ્ય ગણાતું નથી, પરંતુ ગુરુની પૂજાના સંબંધથી એ દ્રવ્ય આવતું હોવાથી ગુરુદ્રવ્ય કહેવાય છે અને દ્રવ્યસપ્તતિકામાં આપેલા નીચેના પાઠ अनुकंपा अनुकंपा के योग्य स्थान में होती है, जब कि भक्ति तो पात्र में ही संगत है । इनमें विपरीत बुद्धि रखना तो दाता के लिए अतिचार (दोष) करानेवाली है। - दानबत्तीसी દી તો મારી પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy