SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ. "स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे नव्यचैत्यकरणादौ च व्यापार्यम् ।" અર્થ : સુવર્ણ વગેરે ગુરુદ્રવ્ય તો જીર્ણોદ્ધાર અને નૂતન દેરાસર નિર્માણ આદિમાં વાપરવું જોઈએ. આ પાઠ મુજબ, ગુરુમહારાજથી ઉપરના ખાતામાં અર્થાત્ જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણ આદિમાં જ તે ગુરુદ્રવ્ય વાપરવું જોઈએ. આ પાઠ મુદ્રિત પુસ્તકના પૃષ્ઠ-૪૮ પર આપવામાં આવેલો છે. આમ, પૂર્વે કહી ગયો તેમ આ દ્રવ્ય જિનેશ્વરની અંગપૂજામાં તો ન જ વાપરવું જોઈએ. સભા : દેવદ્રવ્યમાંથી બાલાશ્રમ ચલાવવા લોન આપવામાં આવે છે, તે ચાલે? ન ચાલી શકે, એમાં મોટો વાંધો છે. દેવદ્રવ્યથી બાલાશ્રમ પણ ન ચલાવાય અને તે દ્રવ્ય ઉપાશ્રયમાં પણ ન અપાય. તમારો ખુદનો પૈસો આપો તો તમે તકાદો લગાવી વસૂલ પણ કરો. દેવદ્રવ્યમાંથી આપવાથી વસૂલ કરવા કોણ જવાનું હતું ? લોકો સાથેના મીઠા સંબંધો ક્યાં બગાડવા ? એમ માની ઘણા ધર્માદા દ્રવ્યની ઉઘરાણી પણ કરતા નથી. સભા : બાલાશ્રમના છોકરાઓ ખૂબ ગરીબ છે, તેમને આપીએ તો ? એ બાળકોને શું તમારે વધારે ગરીબ બનાવવા છે ? પહેલાંના પાપોદયે ગરીબ બન્યા છે, હવે દેવદ્રવ્યનો ભોગવટો કરાવીને વધુ ગરીબ બનાવી દુર્ગતિમાં ધકેલવા છે? તમે આચાર્યદેવ શ્રી સુબોધસાગરસૂરિજી મહારાજનું નામ સાંભળ્યું હશે. એમણે મને રૂબરૂમાં કહેલી વાત કહું એમણે કહેલું કે, “હું નાનો હતો ત્યારે બોર્ડીગમાં ભણતો હતો. મારું નામ વરધીલાલ હતું. એકવાર બોર્ડીંગના प्रारम्भमङ्गलं ह्यस्या गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ।। - अष्टकप्रकरण ૧૫૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy