SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ માટેનું વાસ્તુરૂપ સ્થાન હોવાથી, જિનમંદિરને લગતા દ્રવ્યનો પણ દેવદ્રવ્યમાં જ સમાવેશ થઈ જતો હોવાથી જુદો ભેદ ગણાવ્યો નથી.” એટલે સામાન્યપણે “જિનમૂર્તિ-ક્ષેત્રનું દ્રવ્ય જિનમૂર્તિ-ક્ષેત્રમાં જ વાપરવું જોઈએ' એવો નિયમ હોવા છતાં, જિનમૂર્તિ-ક્ષેત્રમાં એની જરૂર ન હોય અને જિનમંદિર-ક્ષેત્રમાં જરૂર ઊભી થઈ હોય તેવા વિશેષ સંયોગોમાં દ્રવ્યસપ્તતિકાના આ પાઠ મુજબ જિનમૂર્તિ-ક્ષેત્રનું દ્રવ્ય જિનમંદિર-ક્ષેત્રમાં પણ વાપરી શકાય છે. શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ અને દ્રવ્યસપ્તતિકા જેવા ગ્રંથોનું તમે એક વાર અધ્યયન કરી લો, અને એ પછી જો આપણે આ રીતે બેસવાનું થાય તો તમે ખૂબ સરળતાથી વસ્તુને સમજી શકશો. સભા : ગુરુપૂજનની આવક બાબતમાં આપે કહ્યું કે, તે જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં વાપરવું. જ્યારે કેટલાક ગુરુભગવંતો સાધુ-સાધ્વી વૈયાવચ્ચમાં લઈ જવાનું કહે છે તો શું કરવું ? દ્રવ્યસપ્તતિકામાં આ પ્રશ્નની ચર્ચા કરેલી છે. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સાધુની નાણાંથી ગુરુપૂજા થઈ શકે ? એમાં આવેલ દ્રવ્ય ક્યાં વાપરવું? એનો જવાબ આપતાં જગદ્ગુરુએ આપેલો જવાબ ટાંકીને દ્રવ્યસપ્તતિકાકારે કહ્યું કે, ગુરુપૂજા-ગુરુની અંગ અને અગ્ર પૂજા થઈ શકે અને એ ગુરુપૂજાનું દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં લઈ જવું. એ માટેના પૂર્વાચાર્યોના પૂજનના તેમ જ તેની આવક જીર્ણોદ્ધારમાં લઈ ગયાના દાખલાઓ પણ તેમણે ટાંક્યા છે. પૂ.ઉ.શ્રી લાવણ્યવિજયજી મહારાજે ૧રમી ગાથાની ટીકામાં આ વાત કરી છે. આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથનું પ્રકાશન એકવાર આચાર્યશ્રી નેમિસૂરિજી મહારાજના સમુદાય વતી પણ થયેલું છે. ત્યારબાદ આચાર્યશ્રી સિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજના સમુદાયના પં. શ્રી ચરણવિજયજી મહારાજે પણ એનો અનુવાદ છપાવેલો છે. ત્યારબાદ ઈન્દોર પીપલી બજારથી પં. પ્રભુદાસ अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता। अन्यथाधीस्तु दातृणामतिचारप्रसङ्गिका ।। આ એક दानबत्तीसी ૧૫૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy