SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તમે અમારા આચાર્યદેવ પાસેની વસતીમાં છે, ત્યાં જઈ અર્થ મેળવી શકો.” આ રીતે સાધ્વીજી મહારાજે હરિભદ્ર બ્રાહ્મણને પૂજ્ય આચાર્ય મહારાજ પાસે મોકલ્યા. જો સીધો અર્થ આપી દીધો હોત તો જૈનશાસનને સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની અને તેમણે રચેલ ૧૪૪૪ ગ્રંથોની જે ભેટ મળી, તે કદાચ ન મળી હોત. આચાર્ય ભગવંત મહાગીતાર્થ હતા. હરિભદ્ર બ્રાહ્મણને જોતાં જ તેમના વ્યક્તિત્વને પારખી લીધું. તેમના આત્માને અને એમના દ્વારા થનારા જૈનશાસનના લાભને જોઈને કહ્યું કે, “જો તમે સંસારત્યાગ કરી જિનમતનો અને જૈન દીક્ષાનો સ્વીકાર કરો તો તમને માથાનો અર્થ જણાવું.” હરિભદ્ર બ્રાહ્મણની અર્થજિજ્ઞાસા એટલી પ્રબળ હતી કે તે માટે તેમણે વૈદિક મત છોડી જિનમતનો અને સંસાર છોડી જિનમતની દીક્ષાનો સ્વીકાર કર્યો. એ પછી જ્યારે એમણે જિનાગમોનો અભ્યાસ કર્યો ત્યારે તેમના મિથ્યાત્વનો નાશ થયો, તત્ત્વની પ્રતીતિ થઈ અને એમના હૃદયમાંથી ઉગારો સરી પડ્યા : कथं अम्हारिसा जीवा, दूसमादोसदूसिया । हा अणाहा कहं हुंता, जइ न हुंति जिणागमो ?।। “દૂષમ કાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા જીવોને, જો જિનાગમ ન મળ્યું હોત તો અનાથ એવા અમારું શું થાત?” એ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલો જ આ પંચાલકજી ગ્રંથ છે કે જેના શ્લોકાધારે આપણે સંચાલકના ગુણોનો વિચાર કરી ગયા છીએ. આગળ વિચાર કરતાં પહેલાં હવે શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે બે ગાથાઓથી ટૂંકમાં એ ગુણોનો થોડો વિચાર કરી લઈએ : अहिगारी य गिहत्थो, सुहसयणो वित्तमं जुओ कुलजो । अखुद्दो धिइबलिओ, मइमं तह धम्मरागी य ।।५।। एक वह जिनभक्ति भी ऐसी है कि जो दुर्गति का निवारण करने, एवं जब तक मोक्ष न हों तब तक हर भवों में दुर्लभ सुखों को दिलाने में समर्थ है। - भक्तपयक्खाण પ્રવચન-૩ઃ જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy