SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આપે, પાટે શું બોલવું ન બોલવું એ શ્રાવકો નક્કી કરે એ કેટલું યોગ્ય છે? હજુ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘમાં એ દૂષણ નથી આવ્યું, એ સદ્ભાગ્ય માનો ! વચ્ચે એક વાર ચોક્કસ વર્ગ તરફથી આપણે ત્યાં પણ આ પ્રયાસ થયો હતો, પરંતુ સુયોગ્ય વ્યક્તિઓના પ્રયાસથી એ પ્રયત્ન નિષ્ફળ બન્યો હતો. આજે સદ્ભાગ્ય છે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકોનું કે આ મર્યાદા જળવાઈ છે. એ મર્યાદાને જીવતી, જાગતી, ધબકતી રાખવાની જવાબદારી આપણી છે. તમે નક્કી કરો કે “આપણે “શ્રમણોપાસક' જ બની રહેવું છે. ક્યારેય પણ સર્વસંગત્યાગી સાધુ-સાધ્વી ઉપર અમારું વર્ચસ્વ સ્થાપીશું નહિ. સભાઃ ભદ્રબાહુસ્વામીજીને સંઘે આજ્ઞા કરી હતી ને ? કયા સંઘે ? શ્રાવકસંઘે કે શ્રમણસંઘે ? એ શ્રાવકસંઘ નહિ પણ શ્રમણ સંઘ હતો, મહાનુભાવ ! આપણી વાત મર્યાદાપાલનની ચાલતી હતી. સાધ્વીજી મહારાજના ઉપાશ્રય પાસેથી હરિભદ્ર બ્રાહ્મણ જતા હતા ત્યારે સાધ્વીજીના મુખથી નીકળતો સ્વાધ્યાયઘોષ કાને પડ્યો. એમાં બોલાયેલી “ચક્કી દુર્ગ હરિ પણગ' વાળી ગાથા કાને પડી. આજે તમારા ઘરની બહારથી કોઈ જાય તો શેનો અવાજ સંભળાય? શબ્દો સમજાયા, પરંતુ એ શબ્દો પારિભાષિક હોવાના કારણે એનો અર્થ ન સમજાણો. પ્રતિજ્ઞા યાદ હતી.તરત સાધ્વીજી મહારાજ પાસે પહોંચી વિનયપૂર્વક ગાથાનો અર્થ જણાવવાની વિનંતિ કરી. સાધ્વીજી મહારાજ પણ મર્યાદાનાં બરાબર પાલક હતાં. સભા એક ગાથાનો અર્થ ન બતાવે ? ન બતાવ્યો. મર્યાદાપાલન, જિનાજ્ઞાપાલન અતિ અગત્યની બાબત છે. પુરુષોની સન્મુખ વ્યાખ્યાન કરવાની સાથ્વીની મર્યાદા નથી. એટલે સાધ્વીજીએ કહ્યું : “આ રીતે ગાથાનો અર્થ તમને કહેવાનો અમારો અધિકાર નથી. આ માટે एगा वि सा समत्था, जिणभत्ती दुग्गई निवारे । दुलहाइँ लहावेउँ, आसिद्धि परंपरसुहाई ।। -भक्तपक्खाण ૧૩૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy