SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તવમાં લાકડા કાયા - પ્રજ્ઞારૂપી શસ્ત્રો વડે મોરની સાથે યુદ્ધે ચડવાનું છે, અને આસક્તિ વગર ના બનીને એ યુદ્ધમાં મળેલી જીતને જાળવી રાખવાની છે. ૮ - આ કાયા ચેતના વિનાની થતાં જ તરત ભૂસાની પેઠે કે નકામા લાકડાની પેઠે ફેંકાઈ જતાં જમીન ઉપર પડી રહેવાની છે, માટે જ કાયા કરતાં પણ ચિત્તની શુદ્ધિને સવિશેષપણે જાળવી રાખવી જોઈએ. ૯ થી પિતાના દ્રષીનું જેવું ભૂંડું કરે છે અને વેરી પોતાના વેરીનું જેવું ભૂંડું કરે છે, તે કરતાં પણ વધારે ભૂંડું સાધકે મિથ્યા પ્રવૃત્તિઓમાં લગાડેલું ચિત્ત કરે છે. ૧૦ માતા, પિતા, બીજાં સગાંવહાલાં કે નાતીલાં સાધકનું એવું શ્રેય કરી શકતાં નથી, જેવું શ્રેય સત્રવૃત્તિઓમાં લગાડેલું તેનું ચિત્ત કરી શકે છે. ૧૧ ત્રીજો ચિત્તવર્ગ સમાપ્ત. માં લગાવી કરતાં એ માતા, પિતા + “આસક્તિ વગરના આ માટે મૂળમાં નિર્ણન શબ્દ છે. પ્રસ્તુત ગાથામાં “માર' સાથે લડાઈ લડવાની વાત કહેલી છે, એ અર્થ માટે “અનિવેસન” (અનિવેશન) શબ્દમાં શ્લેષ છે. અનિવેસન” એટલે ઘર બહાર અથવા તંબૂ બહાર નીકળેલો; અર્થાત જેમ શર લડવૈયે ઘર બહાર કે તંબૂ બહાર નીકળીને જ લડાઈ લડે છે– ઘરમાં કે તંબૂમાં ભરાઈ બેસીને લડી શકતો નથી, તેમ “માર' સાથે લડાઈ લડનાર “ અનિવેસન” બનીને એટલે આસક્તિઓથી બહાર નીકળીને જ લડી શકે છે. જ્યાં સુધી મનુષ્ય આસક્તિઓમાં રચ્યાપચ્યું છે, ત્યાં સુધી તે મારી સાથે લડાઈ લડી શકતો જ નથી. એ દશામાં તો એ મારને ગુલામ છે. તેથી કહેલ છે, કે મારી સાથે લડાઈ લડનારે અને લડીને મેળવેલી છતને સાચવી રાખનારે અનિવેસન'–આસક્તિ રહિત બનવું જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy