SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ઉત્તમ છે પરમાત્મ ગુણશ્રવણ ભાગવત કથા નહિ ચેતનાની અવસ્થા છે ભાગવતમાં ઠેક ઠેકાણે લખ્યું છે કે પરમહંસ એ સંન્યાસીની ઊંચામાં ઊંચી અવસ્થા છે. પરમહંસને સિદ્ધાંત કે શાસ્ત્રની જરૂર નથી. એ તર્ક, વિચાર, વાદ, પરંપરા, શાસ્ત્ર અને શ્રવણ એ તમામનો પાર પામી ગયા છે. આપણે એ અવસ્થાને સમજીએ. હંસ વિચક્ષણ પક્ષી છે. તે દૂધમાંથી પાણી અને દૂધને છૂટાં પાડી શકે છે. એવી જ રીતે શરીર-ચેતન, પ્રકૃતિ-પુરુષ, જડ-ચેતન ભેગાં હોવા છતાં જુદાં છે. આત્માને તમે માનો કે ન માનો પણ એ છે જ. અજ્ઞાનના કારણે અવિદ્યા-મિથ્યાત્વથી આત્માને દેહાદિ સાથે એકતા બુદ્ધિ થઇ છે તેથી તે બન્નેને જુદાં જોઇ શક્તો નથી. પરંતુ જે વ્યક્તિની એકતા બુદ્ધિ તૂટી છે એને જુદાં દેખાયા છે. જ્ઞાનીની આ અવસ્થાને હંસ અવસ્થા કહેવાય છે. આવી વ્યક્તિ આત્મામાં રમમાણ રહે તો તે “પરમહંસકહેવાય છે. એ પરમજ્ઞાનીની અવસ્થા છે. આ અવસ્થા પ્રાપ્ત સંતને શાસ્ત્રની જરૂર નથી. આ અર્થમાં ‘ભાગવત’ એ કથા નથી પણ ચેતનાની અવસ્થા છે, તેમાં બનતી ઘટના છે. પરમહંસની અવસ્થા નારદજીએ વ્યાસજીને કહ્યું: દેહ અને આત્માને છૂટાં જોવાં તેને ભેદ જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન મળ્યું છે તેવો માણસ માયામાં મૂંઝાયેલો હોઇ શક્તો નથી. કારણ એણે ભેદ જ્ઞાનથી જ એ બે તત્ત્વોને છૂટાં પાડ્યાં હોય છે. આ માણસના રાગ-દ્વેષ મોળા પડયા હોય છે. તે સતત જાગૃતિમાં જ રહે છે. એ મૃત્યુ વખતે પણ જાગૃત રહે છે. શરીરને જ્યારે સખત પીડા થાય છે ત્યારે કુદરતે બેહોશીની વ્યવસ્થા કરી છે. માણસ બેહોશીમાં હોય છે ત્યારે પણ જાગૃત હોય છે. અને જાગૃત હોય ત્યારે શરીરને સખત પીડા થતી હોય તો પણ શરીર ને આત્મા જુદાં છે તેવો અનુભવ એને સતત રહેતો હોય છે. આ અખંડ સ્મૃતિ છે. આવી છે પરમહંસની અવસ્થા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy