SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ નારદજીની અખંડ સ્મૃતિ માણસને અનંત જન્મો મળ્યા છે. એ દરેક જન્મોમાં તેને શરીર સાથે તાદામ્યબુદ્ધિ થઈ છે. આજે પણ એની એવી જ હાલત છે. પરમહંસે શરીર, આત્મા અને પરમાત્મા એ ત્રણે તત્ત્વોને છૂટાં પાડ્યાં છે. એથી એને મૃત્યુ આવે તો પણ કંપન થતું નથી. નારદજી આગળના જન્મમાં એવી અવસ્થામાં હતા તેથી પૂર્વના કોઇ પણ જન્મની તેમની સ્મૃતિ ક્ષીણ નહોતી થઈ. કપડાં પહેરતાં ઘણો સમય જાય તો પણ તેને ઉતારતા એટલો સમય જતો નથી. કપડાં શરીર ઉપરથી ઉતારવાની જેમ જ શરીરને આત્માથી જુદું પડતું તેઓ જોતા હતા. એમણે મૃત્યુને એ નિમિત્તથી જોયું. આ સાક્ષી ભાવ છે, તટસ્થતા ભાવ છે. મૃત્યુ એનું કામ કરે છે ત્યારે પોતે એને એવી રીતે જોઈ રહ્યા છે, જાણે એક માણસ કામ કરતો હોય તેને બીજો માણસ જોઈ રહ્યો હોય. મૃત્યુને તેનું કામ કરવા દેવું એવી અદ્ભુત સ્થિતિમાં સ્મૃતિ તાજી રહે છે. એવો માણસ એ સ્મૃતિની મૂડી લઈને બીજા જન્મમાં (બીજા દેહમાં) જાય છે. આવી હતી નારદજીની અવસ્થા. સંતોની સેવાની મૂડીના કારણે પરમાત્માની કૃપાથી તેઓ વગર તકલીફે ત્રણે લોકમાં ફરી શકતા હતા. આવા જ્ઞાની નારદજીએ વ્યાસજીના મનનું સમાધાન કર્યું છે. વ્યાસજીનો પરમાત્મ અનુભવ નારદજીનો ઉપદેશ પામેલાવ્યાસજી સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર જ્યાં ઋષિઓ ભેગા થઇ જ્ઞાન ચર્ચા કરતા હતા ત્યાં ગયા. ત્યાં એકાંતમાં પોતાના મનને સમાધિસ્થ કરીને ભક્તિયોગ વડે પોતાના મનને નિર્મળ કરીને પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. તેમને કાળનું પણ ધ્યાન ન રહ્યું. અને તેમને પરમાત્મ સ્વરૂપનાં દર્શન થયાં. આ અનુભવ આંખ, મન અને બુદ્ધિથી તો થાય જ. પણ જો એ આત્માથી પણ અનુભવાય તો એ પરાકાષ્ટાની અવસ્થા છે, નિર્વિકલ્પ અવસ્થા છે. વ્યાસજીને આ અનુભવ પણ થયો, ઉપરાંત એમણે પરમાત્માના આશરે રહેલી માયાને પણ જોઈ. એમણે એ પણ અનુભવ્યું કે માણસમાયાથી જુદો છે, અતીત છે છતાં તેનાથી મોહિત થઈને તેનામાં પોતાને અટવાયેલો માને છે. જો માણસને આ ભાન થાય તો એમાંથી જ એને ત્રણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy