SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮] પર્યાય વિચાર અને અક્ષરનો અનંતમો ભાગ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વસ્તુસ્વભાવથી તો તે કેવળજ્ઞાન સ્વ-પરપર્યાયના ભેદથી ભિન્ન છે; કેમ કે તે કેવળજ્ઞાન જીવનો સ્વભાવ છે અને ઘટાદિ તેથી ભિન્ન છે. ૪૯૫. યથાવસ્થિત વસ્તુ સ્વરૂપથી તો તે કેવળજ્ઞાન પણ અકારાદિ અક્ષરદ્યુતની પેઠે સ્વ અને પરપર્યાયના ભેદથી ભિન્ન છે. પરંતુ ઉપર કહ્યા મુજબ માત્ર સ્વપર્યાય યુક્ત નથી, કારણ કે કેવળજ્ઞાન પ્રતિનિયત જીવપર્યાયરૂપ જીવસ્વભાવ છે, કંઈ ઘટાદિ સ્વરૂપ નથી, તથા ઘટાદ જીવ-સ્વભાવરૂપ નથી પરંતુ તેથી ભિન્ન જ છે. માટે કેવળજ્ઞાનથી જણાતા ઘટ-પટાદિ ભાવો કેવળજ્ઞાનના સ્વપર્યાય કેમ થઈ શકે ? એમ માનવાથી તો સર્વ સાંકર્યએકતા આદિ દોષોનો પ્રસંગ થાય, કેવળજ્ઞાન અમૂર્ત હોવાથી ચેતનપણું-સર્વજ્ઞપણું-અપ્રતિપાતીપણું, નિરાવરણપણું વિગેરે કેવળજ્ઞાનના સ્વપર્યાયો છે અને ઘટાદિપર્યાયો વ્યાવૃત્તિની અપેક્ષાએ પરપર્યાયો છે. આ સંબંધમાં બીજાઓ વળી એમ કહે છે કે સર્વદ્રવ્યગત સર્વપર્યાયો કેવળજ્ઞાન જાણે છે, પણ જે સ્વભાવે તે એક પર્યાય જાણે છે, તે જ સ્વભાવે બીજા પર્યાયને નથી જાણતું, પરંતુ ભિન્ન સ્વભાવથી જ જાણે છે. જો એમ સ્વભાવ ભેદ ન હોય, તો સર્વદ્રવ્ય-પર્યાયમાં એકતાનો પ્રસંગ થાય, માટે સ્વભાવભેદલક્ષણ સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ તુલ્ય કેવળજ્ઞાનના સ્વપર્યાયો છે, અને સર્વદ્રવ્ય-પર્યાયો તે પરપર્યાયો છે. એ પ્રમાણે કેવળજ્ઞાનના સ્વપરપર્યાય બન્ને પરસ્પર સમાન છે. ૪૯૫. એ પ્રમાણે માનવાથી શું થયું ? તે કહે છે. अविसेसियं पि सुत्ते, अक्खरपज्जायमाणमाइटुं । सुय-केवलक्खराणं, एवं दोण्हंपि न विरुद्धं ॥४९६॥ સૂત્રમાં સામાન્યથી અક્ષરપર્યાયનું પ્રમાણ કહ્યું છે. પણ એ પ્રમાણે માનવાથી બન્ને કૃતાક્ષર અને કેવળાક્ષરનું પ્રમાણ વિરૂદ્ધ નથી. ૪૯૬. * નંદીસૂત્રમાં સામાન્યથી સર્વ આકાશપ્રદેશથી અનંતગણું અક્ષરપર્યાયનું પ્રમાણ કહ્યું છે, તે મુજબ શ્રતાક્ષર અને કેવળાક્ષર એ બન્ને માનવામાં વિરોધ નથી, કેમકે શ્રુતાક્ષર અને કેવળાક્ષર સ્વ-પર પર્યાય નિર્વિવાદ સમાન છે. જો કે ઉપરની ગાથામાં બીજાઓના મતે કેવળજ્ઞાનના સ્વપર્યાયો ઘણા કહ્યા છે, તોપણ તેથી ભિન્ન એવા શ્રુતજ્ઞાનના પણ તેટલા જ પર્યાયો વધે છે. આ પ્રમાણે સામાન્યથી શ્રુત અને કેવળજ્ઞાનના પર્યાય સમાન છે, તેથી સૂત્રમાં “અક્ષરપર્યાય”નો અર્થ શ્રુતાક્ષર અને કેવળાક્ષર બન્ને ગ્રહણ કરીએ તો પણ કંઈ હાનિ નથી. ૪૯૬. ઉપરોક્ત સર્વપર્યાયપ્રમાણ અક્ષર (જ્ઞાન) બધુંએ જ્ઞાનાવરણકર્મથી આવરાય છે ? કે થોડું આવરાય છે ? એ શંકાના ઉત્તરમાં કહે છે કે – तस्स उ अणतंभागो, निच्चुग्घाडो य सब्यजीवाणां । भणियो सुयम्मि केवलिवज्जाणं तिविहभेओऽवि ॥४९७॥ તે સર્વપર્યાયપ્રમાણ અક્ષરનો-જ્ઞાનનો અનંતમો ભાગ હંમેશાં આવરણરહિત (ઉઘાડો) છે. (અને તે ભાગ) કેવલિ સિવાય સર્વજીવોને (જઘન્ય-મધ્યમ-ને ઉત્કૃષ્ટ એમ) ત્રણ પ્રકારે સૂત્રમાં કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy