SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અવગ્રહ અને આલોચનાજ્ઞાનમાં તફાવત છે. [૧૪૫ આવે, તો તે અર્થશૂન્યનું આલોચન કેવી રીતે થાય ? વ્યંજનાવગ્રહ જ આલોચના થશે. (એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમ કે-) ત્યાં અર્થશૂન્યમાં સામાન્યગ્રહણ કેવી રીતે થાય ? અથવા તેમાં સામાન્યગ્રહણ થાય, તો પણ ઇહા સિવાય તે અર્થાવગ્રહકાળે “આ શબ્દ છે” એવું વિશેષજ્ઞાન કેવી રીતે થાય ? ૨૭૩ થી ૨૭૮. કેટલાક આ પ્રસ્તાવમાં આલોચનાપૂર્વક અર્થાવગ્રહ માને છે. તેઓનું એમ કહેવું છે કે સામાન્ય વસ્તુગ્રાહી જ્ઞાન તે આલોચના. એવી આલોચના પ્રથમ થાય છે, અને તે પછી અર્થાવગ્રહ થાય છે. કહ્યું છેં કે-“બાળ-મૂકઆદિના વિજ્ઞાન જેવું શુદ્ધ વસ્તુથી થએલું આલોચના જ્ઞાન પ્રથમ નિર્વિકલ્પક થાય છે.” આવા આલોચના જ્ઞાનમાં સામાન્ય અવ્યક્ત વસ્તુ ગ્રહણ થાય છે, તે પછી તરત જ અર્થાવગ્રહણકાળે તે સામાન્યને રૂપાદિથી ભિન્ન કરીને ‘શબ્દ છે' એવા વિશેષણયુક્ત ગ્રહણ કરાય છે, આથી કરીને “સે નહાનામ જ્ઞ રિસે ગત્ત સદં મુળેગ્ન !'' જેમ કોઈ પુરુષે અવ્યક્તશબ્દ સાંભળ્યો. ઇત્યાદિ જે કહ્યું છે તે આ આલોચના જ્ઞાનની અપેક્ષાએ કહ્યું છે, અને તેનં સત્તિ ૩દિ'' તેણે શબ્દ ગ્રહણ કર્યો. ઇત્યાદિ જે કહ્યું છે તે અર્થાવગ્રહની અપેક્ષાએ કહ્યું છે. એ પ્રમાણે માનવાથી બધું યુક્તિસંગત થશે-આવી માન્યતા યોગ્ય નથી, કેમ કે અર્થાવગ્રહની પૂર્વે વ્યંજનાવગ્રહ જ થાય છે. ઉપર મુજબ માન્યતાવાળાને અમે પૂછીએ છીએ કે-તમે માનેલું સામાન્યગ્રાહી આલોચનાજ્ઞાન તે વ્યંજનાવગ્રહની પૂર્વે થાય છે કે પછી થાય છે ? અથવા તે વ્યંજનાવગ્રહ જ આલોચના જ્ઞાન રૂપે થાય છે ? વ્યંજનાવગ્રહની પૂર્વે તો તે નહિ કહી શકાય, કેમકે શબ્દાદિ વિષયરૂપે પરિણામ પામેલા દ્રવ્યના સમૂહવાલો અર્થ અને શ્રોત્રાદિ ઇન્દ્રિયરૂપ જે વ્યંજન તે બન્નેનો સંબંધ તે વખતે નથી; જો અર્થ અને વ્યંજનનો સંબંધ તે વખતે હોય, તો સામાન્ય અર્થનું આલોચન થાય. અન્યથા એવા સંબંધ વિના પણ આલોચના માનવામાં આવે, તો સર્વત્ર નિરંતર તે આલોચના જ્ઞાન માનવું પડે, માટે વ્યંજનાવગ્રહની પૂર્વે અર્થ અને વ્યંજનનો સંબંધ ન હોવાથી, તેની પૂર્વે આલોચના જ્ઞાન થતું નથી. બીજા વિકલ્પઅનુસાર વ્યંજનાવગ્રહની પછી, આલોચના જ્ઞાન માનવામાં આવે, તો તે પણ યોગ્ય નથી. કેમ કે વ્યંજનાવગ્રહના છેલ્લા સમયે અર્થાવગ્રહ થાય છે, એમ પહેલાં નિશ્ચિત કર્યું છે. વળી વ્યંજનાવગ્રહની અને અર્થાવગ્રહની વચ્ચે એવો બીજો કાળ પણ નથી, કે જ્યાં તે આલોચના જ્ઞાન થાય, કારણ ઉપર જ કહ્યું છે કે વ્યંજનાવગ્રહના છેલ્લા સમયે જ અર્થાવગ્રહ થાય છે. એ પ્રમાણે વ્યંજનાવગ્રહની પૂર્વનાં અને પછીનાં કાળમાં આલોચના જ્ઞાન થતું નથી, હવે માત્ર રહ્યો ત્રીજો વિકલ્પ એટલે કે આલોચના જ્ઞાન જ વ્યંજનાવગ્રહ છે, પણ એ વ્યંજનાવગ્રહને જ આલોચના જ્ઞાન કહેવામાં આવતું હોય, તો કંઇ હરકત નથી. કેમ કે એમાં કેવળ નામ માત્રનો જ તફાવત છે. આ સ્થળે બીજા પણ બે વિકલ્પો થાય છે. જેમ કે વ્યંજનાવગ્રહ કાળે માનેલું આલોચના જ્ઞાન, તે અર્થનું આલોચન કરે છે કે વ્યંજનોનું આલોચન કરે છે ? આ બે માંથી પ્રથમ વિકલ્પઅનુસાર સામાન્યરૂપ અર્થનું દર્શન, તે આલોચના જ્ઞાન, એમ માનવામાં આવે તો તે ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy