SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪] અર્થાવગ્રહમાં વિશેષજ્ઞાનનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રથમ સમયે સર્વ વસ્તુ અવ્યક્ત સામાન્ય જ ગ્રહણ થાય છે. (૮) વળી અહીં પ્રથમ સમયે વિશેષ બુદ્ધિ માનવાથી અહીં જે વસ્તુતઃ સામાન્ય છે તે તારા અભિપ્રાય વિશેષ થશે, અને તે માનેલું વિશેષ તે સામાન્ય થશે. (૯) અથવા સામાન્ય અને વિશેષ બન્ને ઉભયસ્વરૂપને પામશે. જેમકે સામાન્ય ગ્રહણ કરે તે અવગ્રહ. આવી વ્યુત્પત્તિ વડે વસ્તુ સ્થિતિ પામેલું સામાન્ય, જે સ્વરૂપે સામાન્ય છે, તે તારા કહેવા મુજબ વિશેષ છે. એ પ્રમાણે એક જ સામાન્યને સામાન્ય તથા વિશેષરૂપતા ઉભય પ્રાપ્ત થાય છે. વળી તું જેને વિશેષ કહે છે તે તારા અભિપ્રાય વિશેષરૂપ છે, પણ વસ્તુતઃ તો સામાન્ય છે, એ રીતે વિશેષને પણ ઉભયરૂપતા પ્રાપ્ત થાય છે. (૧૦) આ પ્રમાણે અર્થાવગ્રહને અવ્યક્ત સામાન્ય આલંબન સિવાય બીજા વિશેષ આલંબન માનીએ, તો ઉપરોક્ત સર્વ દોષો પ્રાપ્ત થાય છે. તેથી તે સર્વ અયોગ્ય છે. આમાંની છેલ્લી ત્રણ ગાથામાંના કેટલાક દુષણો પૂર્વે કહ્યા છે, તે ફરીથી પ્રસંગોપાત કહ્યા છે તેથી પુનરૂક્તિ દોષ ન સમજવો. ર૬૫ થી ૨૭૨. ' કેટલાક અવગ્રહની પહેલાં ઈહા માને છે તે માટે કહે છે કે : केइदिहालोयणपुबमोग्गहं बेंति तत्थ सामण्णं । गहियमहत्थावग्गहकाले सद्द त्ति निच्छिण्णं ॥२७३।। तं वंजणोग्गहाओ, पुव्वं पच्छा स एव वा होज्जा ? । पुव्वं तदत्थवंजणसंबंधाभावओ नत्थि ॥२७४॥ अत्थोग्गहो वि जं, वंजणोग्गहस्सेव चरमसमयम्मि । पच्छा वि तो न जुत्तं, परिसेसं वंजणं होज्जा ।।२७५॥ तं च समालोयणमत्थदरिसणं जई न वंजणं तो तं । ૩દ વંઝારસ તો હમાનો પત્થરાઇUરા ! //ર૦૬ો आलोयण त्ति नामं, हवेज्ज तं वंजणोग्गहस्सेव । होज्ज कहं सामण्णग्गहणं तत्थत्थसुण्णम्मि ? ॥२७७॥ गहियं व होउ तहियं, सामण्णं कहमणीहिए तम्मि । अत्थावग्गहकाले विसेसणं एस सद्दो त्ति ? ॥२७८।। કેટલાક અહીં આલોચનાપૂર્વક અવગ્રહ કહે છે, ત્યાં (આલોચનામાં) સામાન્ય ગ્રહણ થાય છે, પછી અર્થાવગ્રહકાળે રૂપાદિથી પૃથફ કરીને “શબ્દ” એવું જ્ઞાન થાય છે. તો તે આલોચના વ્યંજનાવગ્રહ પહેલા, પછી, અથવા તે વ્યંજનાવગ્રહ જ થાય છે? અર્થ અને વ્યંજનાના સંબંધનો અભાવ હોવાથી, પહેલાં તો તે આલોચના નહી કહેવાય. વ્યંજનાવગ્રહના છેલ્લા સમયે અર્થાવગ્રહ થાય છે, તેથી પછી પણ તે યોગ્ય નથી. તેથી તે આલોચનાજ્ઞાન વ્યંજનાવગ્રહ થાય. સામાન્યરૂપ અર્થનું દર્શન તે આલોચના હોય, તો તે વ્યંજનાવગ્રહ નહિ, અને વ્યંજનાવગ્રહને આલોચન કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy