SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે ચુનીલાલજીના ધર્મપત્ની આગળ આવ્યા. તેમણે આંખો બંધ કરી પૂર્ણ શ્રદ્ધાભાવથી મનોમન પ્રાર્થના કરી... “હે ભગવાન! અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય, અપરાધસેવાયો હોય તો ક્ષમા કરી દર્શન દેવા કૃપા કરશો! હેવલ્લભગુરુ! અમારી સહાયતા. મદદ! જો આજે દરવાજો નહીં ખૂલે તો અમારી ખૂબજબદનામી થશે..'અંતરના ઊંડાગેથી પ્રગટેલી શ્રદ્ધાપૂર્ણ પ્રાર્થનાએ પોતાનો પ્રભાવ બતાવ્યો. - થોડીવાર પછી એ બહેને જ્યારે દરવાજાને હળવેથી ધક્કો માર્યો કે તરત જ દરવાજો ખૂલી ગયો. આ અચરજભરી ઘટનાથી સૌલોકો આશ્ચર્યચકિત થઈગયા. બધા ભક્તોએત્યારપછી ખૂબ ભાવપૂર્વક પંચતીર્થીનાં દર્શન કર્યા. આમ શા માટે બન્યું? હકીકતમાં ચુનીલાલ જાટના પરિવારમાં આચાર-વિચારની શિથિલતા હતી. ઘરમાં પવિત્રતા જળવાતી નહોતી. એ લોકો માંસમદિરાનો ઉપયોગ કરતા હતા. આ ઘટના બન્યા પછી બપોરે ચુનીલાલ તથા તેમના પરિવારના સભ્યોએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ ક્ષમા માંગી અને માંસમદિરાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. બિકાનેરમાં પૂજ્ય ગુરુદેવના હીરક મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ નક્કી થયો હતો. કારતક સુદ બીજના દિવસે શહેરના તમામ વિસ્તાર તથા રાજમાર્ગો પરથી પરમાત્માની શોભાયાત્રા સરસ રીતે નીકળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. બિકાનેરમાં સંવત ૧૯૦૮ થી ચાલ્યા આવતા પુરાણા ખટરાગથી, તેર અને ચૌદ નંબરના મહોલ્લાવાળાના કારણે સમગ્ર શહેરમાંથી સવારી શાંતિપૂર્વક નિકાળવી મુશ્કેલ હતી. વળી તેર નંબરના મહોલ્લાના ચોકમાં રહેતા મોટા ઉપાશ્રયના મહારાજને એવો પરવાનો મળ્યો હતો કે, આ ચોકમાંથી પસાર થતા કોઈપણ સરઘસકે શોભાયાત્રાના આયોજકોએ મહારાજના પાટ પર અમુક ભેટ ચઢાવવી અનિવાર્ય હતી, ચૌદનંબરના મહોલ્લાના રહેવાસીઓને ભેટચઢાવવાની વાત અપમાનજનક લાગતી હતી. શોભાયાત્રાના આયોજકો પૂજ્યશ્રીજી પાસે ગયા. તેમણે સમસ્યા રજૂકરી. તેમની વાત સાંભળીપૂજ્ય ગુરુદેવ બોલ્યા, ‘ભાઈઓ! આ બાબતમાં તમે બિકાનેરનરેશને મળો. નવીનયુગમાં આવી પ્રથાયોગ્ય નથી.” “ગુરુદેવ!પેલા ચોકવાસી મહારાજ પાસે પરવાનો છે, એટલે એના જોરે એ પરમાત્માની શોભાયાત્રાને જરૂર અટકાવશે, ‘ભક્તો બોલ્યા, “ભાઈઓ!શાસનદેવતાની મરજી અને ગુરુમહારાજની કૃપાથી આ શોભાયાત્રાને જગતની કોઈ તાકાત અટકાવી નહીં શકે. સવારી અવશ્ય નીકળશે. જો આ મહારાજ બિકાનેરનરેશ પાસે જશે તો મને શંકા છે કે ક્યાંક એમનો એ પરવાનો જ જપ્ત ન થઈ જાય...!” જૈન સંઘ તરફથી એક પ્રતિનિધિ મંડળ રાજાને મળ્યું. વ્યવસ્થિત રજૂઆત થઈ. રાજાએ આ સમસ્યાના ઉકેલ સારુ સમિતિ બનાવી, તેર તથા ચૌદનંબરના મહોલ્લાના આગેવાનોને બોલાવી એક પંચ બનાવવામાં આવ્યું. પંચોએ વિચાર વિનિમય, ચર્ચા-વિચારણા કરીફેંસલો આપ્યો. છેવટે બિકાનેરનરેશે પરમાત્માની સવારીને સમગ્ર શહેરમાંથી પસાર થવાની અનુમતિ આપી દીધી. ચોકવાળા મહારાજ એ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. પાછળથી એ ચોકવાળા મહારાજના પરવાનાને કાયમી ધોરણે જપ્ત કરવામાં આવ્યો. બિકાનેરમાં નિર્વિને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં સરસ રીતે પરમાત્માની શોભાયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy