SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલમાં ફરી રહ્યો હતો. તે સમયે અચાનક મને કંઇક કરડી ગયું. મારા શરીરમાં ભયંકર પીડા, કળતર થવા લાગી. મને લાગ્યું કે કોઈ ભૂરાનીલા રંગની આકૃતિ મારી પાસેથી ઝડપથી પસાર થઈ ગઈ અને હું તરત જ બેભાન થઈ ગયો. મારા મિત્રો તથા બીજા લોકો મને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરોએ માઝેર ઉતારવા લાખ કોશિશ કરી, પરંતુ તેમને સફળતાન મળી. પ્રતિ પળ ઝેરમારા શરીરમાં પ્રસરી રહ્યું હતું. હું મોતના મુખમાં ધકેલાઈ રહ્યો હતો. મારી ગંભીર સ્થિતિની જાણ મારા ઘનિષ્ઠ મિત્ર લાલ રતનલાલજીને થઈ. તેમણે પૂજ્ય ગુરુદેવને વાત કરી. તેમણે તત્કાળ ધ્યાન લગાવ્યું. થોડીવાર પછી ધ્યાન પૂર્ણ કરી તેમણે વાસક્ષેપને અભિમંત્રિત કરીને મોકલાવી, મને વાસક્ષેપ પીવડાવવામાં આવી. થોડીવારમાં જ મને જોરદાર ઉલટી થઈ અને તે સાથે જ મારા શરીરમાંથી સર્પનું ઝેર નીકળી ગયું. મારા પ્રાણ બચી ગયા, એ દિવસથી મારા જીવનમાં શ્રદ્ધાની જયોતિ પ્રગટી. મારા આચાર-વિચારવાણી વર્તનમાં પરિવર્તન આવ્યું. જે શરીરને હું ભૌતિક સુખો ભોગવવાનું સાધન માનતો હતો, એ જ કાયાને હું આત્માનંદ પ્રાપ્ત કરવાનું સાધન માનવા લાગ્યો. પૂજ્યશ્રીજીએ મારા પર અપાર કૃપા કરી મારો જીવ બચાવીને ધર્મયુકત નવજીવન આપ્યું છે.' ફાજલકા ગામમાં પરમાત્મા શ્રી ચંદ્રપ્રભુસ્વામીજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા પૂજ્ય ગુરુદેવ પધાર્યા હતા. ગામ પરગામના અસંખ્ય ભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી પ્રસંગ સંપન્ન થયો હતો. આ ગામના સંઘના અગ્રણી શાહરૂપરામજીના પુત્રભેરૂદાનજીની ધર્મપત્નીને શાંતિકળશ લઈ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રાત્રિ જાગરણનો કાર્યક્રમ પણ તેમના ઘેર રાખવામાં આવ્યો હતો. ભેરૂમલજીની પત્ની લાંબા સમયથી બીમાર રહેતી હતી. અનેક ઉપચારો કરાવ્યા, છતાં કોઈ સફળતા મળી નહોતી. વળી વર્ષોથી આપતી નિઃસંતાન હતું. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં મંદિરજીની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાં જ ભેરૂમલજીની પત્નીની બીમારી ચમત્કારિક રીતે જ ગાયબ થઈ ગઈ. વળીકાળાંતરે દસ મહિના પછી ભેરૂમલજીના ઘરે પારણું બંધાયું અને તેમની મનોકામના પૂર્ણ થઈ. ખરેખર આધ્યાત્મિક વિભૂતિ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં થયેલી એ પ્રાણપ્રતિષ્ઠાની વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લેનાર શ્રદ્ધાળુ પરિવારની તકલીફો દૂર થઈએ ઘટના પૂજ્યશ્રીજીની અલૌકિક સિદ્ધિની સાક્ષી પૂરે છે. એકવાર પૂજ્ય ગુરુદેવશ્રાવક-શ્રાવિકા તથા ભક્તગણ સાથે પંચકોશી ગામમાં પધાર્યા. આ ગામના જાગીરદાર ચુનીલાલ જાટ સઘળા ધર્મના સાધુ સંતો પ્રત્યે આદરભાવ ધરાવતા ધાર્મિક વ્યક્તિ હતા. પૂજ્યશ્રીજી તથા સૌ ભક્તો તેમના મહેમાન બન્યા. ઉતારાના મકાનના ઉપરના ભાગમાં પૂજા અર્ચના સારુ પંચતીર્થીની સ્થાપના કરવામાં આવી હતી. સંધ્યાટાણે પૂજા આરતી કર્યા પછી એ ઓરડાને વાસી દેવામાં આવ્યો. બીજા દિવસે સવારે શાંતમૂર્તિ મહામુનિ શ્રી હંસવિજ્યજી મહારાજના પ્રશિધ્યમુનિ શ્રી વસંતવિજ્યજી મહારાજ પંચતીર્થનાં દર્શન કરવા ગયા. તેમણે દરવાજો ખોલવા પ્રયાસ કર્યો પણ દરવાજો ન ખૂલ્યો. બધા લોકોએ સામુહિક પ્રયાસ કર્યો, છતાં પણ ઓરડાનો દરવાજો ન ખૂલ્યો. બધાએ સાદ પાડી ખાતરી કરી લીધી, અંદર કોઈનહોતું. બધા ભારે મુંઝવણમાં પડી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy